SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગ અને જનદર્શન (૩) મુક્તિમાં પણ વૈષમ્ય મેજૂદ રહે છે ભક્તિમાર્ગી સંપ્રદાયો માને છે કે મુક્તિમાં પણ દાસ્યભાવ ચાલુ રહે છે. ઈશ્વર અને ભક્ત બનેના જીવનમાં એગ્યતા તે એક સરખી છે –બને બ્રહ્મરૂપ છે–છતાં પણ ઈશ્વર ઈશ્વર જ છે, અને ભક્ત એને દાસ છે. આથી ઊલટું, જૈન દર્શન પ્રમાણે મુક્ત છો વચ્ચે આ કોઈ ભેદ નથી; બધાય સરખાં છે. જેની દાર્શનિક માન્યતા આવી હોવા છતાં કેટલાક જૈન આચાર્યોએ દુનિયામાં પિતાને બીજું કશું નહીં, પણ ભવોભવ તીર્થકરની ભક્તિ જ મળે એવી કામના કરી છે. ખરી રીતે મેક્ષ કે સિદ્ધિ જ ધ્યેય બનવું જોઈતું હતું, ભક્તિ નહીં. તેથી જ, આપણે જોઈએ છીએ કે, કેટલાક જૈન ભક્ત કવિઓએ એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હે પ્રભુ! જ્યાં લગી મોક્ષ ન મળે ત્યાં લગી મને આપની ભક્તિ જ મળે, એ જ પ્રાર્થના છે. એક કવિએ તો સ્પષ્ટ કહ્યું કે “અવનવાદૃ નિને તવ નાર્ T [ જિનવાળાdદાદુ, પૃ° ૨૨ ] (૪) ભગવાન જ જીવનું શરણ છે ભગવાન જ છેનું શરણ છે, આ પણ બધાય ભકિતમાર્થીઓને સિદ્ધાંત છે. પ્રપત્તિ(શરણાગતિ)ને નામે આનું વર્ણન મળે છે. સાધનાના બે માર્ગ છે : એક તે પોતાના પ્રયતનને, જેવી રીતે વાંદરાનું બચ્ચું પિતાની માને પકડી રાખે છે અને બીજો માર્ગ બીજાના પ્રયત્નને, જેમ બિ ડિી પોતાના બચ્ચાને મેંથી પકડે છે. ભક્તોએ આ બીજ માર્ગ જ અપનાવ્યો છે. એ તો ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને એમનું શરણ સ્વીકારે છે. ભગવાન જ પિતાની કપાથી મને મુક્ત કરે છે. એકાંતિક ભક્તિ કે આસ્થા ઉત્પન્ન થયા પછી જીવને કશું કરવાનું બાકી નથી રહેતું; ભગવાન પિતે જ એમનો ઉદ્ધાર કરી દે છે. આથી ઊલટું, જેનોએ પહેલા માર્ગને જ અપનાવ્યું છે. જેન આચાર્યોએ પણ તીર્થંકરના શરણે જવાની વાત તો કરી છે; પણ તીર્થકરને શરણનો અર્થ કેવળ તીર્થકર ઉપરની આસ્થા કે એમની અકાન્તિક ભક્તિ, એ નથી; કારણ કે ખુદ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમની આવી આસ્થા અને ભક્તિ જ તેમની મુતિમાં બાધક બની હતી. જયારે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારે ગૌતમની આંખ ખૂલી ગઈ અને એમણે જોયું કે પોતાને ભગવાન મહાવીર ઉપર અનન્ય ભાવે જે મમત્વ હતું, એ જ પિતાની મુકિતમાં બાધક બન્યું હતું. ત્યારે એમણે પિતાના આત્માનું જ શરણ સ્વીકાર્યું, અને મુક્ત થઈ ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy