SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૦૦ જૈનધર્મચિંતન તેથી તીર્થકરના શરણને અર્થ એટલે જ છે કે એમણે બતાવેલા માર્ગે અનન્ય નિષ્ઠાપૂર્વક ચાલવું હોય તે પહેલાં એમના ઉપર આસ્થા થવી જરૂરી છે; નહીં તો એમણે પ્રરૂપેલ માર્ગ ઉપર શ્રદ્ધા ટકી રહેશે નહીં. જ્યારે પોતાની મેળે ચાલતાં ચાલતાં કર્મોને બંધ ઢીલો થઈ જાય છે ત્યારે માર્ગ ઉપર ચાલવાની શ્રદ્ધા દઢ થઈ જાય છે. આની પરાકાષ્ટાને લીધે, સ્વાનુભૂતિ થવાથી, પિોતે જ્યારે શદ્ધ થઈ જાય છે, ત્યારે એ તીર્થકરોની બરાબર તે શું, ક્યારેક તે એવું પણ બને છે કે, તીર્થકર સંસારમાં વિચરતા રહે અને સાધક એમનાથીય આગળ વધીને, એમની પહેલાં જ, સિદ્ધ-અવસ્થામાં પહોંચી જાય છે. (૫) ભક્તિ એ સાધ્ય છે. બધાય ભક્તિમાર્થીઓએ ભક્તિને એક સાધન નહીં પણ સાથે માનેલ છે. અર્થાત ભક્તને મોક્ષનું કામ નથી; એ તે પરાકાષ્ટાએ પહોંચેલી ભક્તિને માટે જ પ્રયત્નશીલ હોય છે. મોક્ષ, એ તો પરાકાષ્ટાએ પહોંચેલી ભક્તિનું આનુષંગિક ફળ છે, જે ભક્તને મળે છે. પણ એની ઝંખના એ માટે નથી હતી; એ તે ભક્તિને જ પરમ ઉત્કર્ષ વાંછે છે. આથી ઊલટું, જેનોએ ભક્તિને એક સાધન રૂપે જ સ્વીકાર કર્યો છે. જીવનું ધ્યેય તે મુક્તિ જ છે. એના બધા પ્રયત્ન મુક્તિને માટે જ હોય છે. એ પ્રયત્નોમાં. અમુક હદ સુધી, ભક્તિને પણ સ્થાન છે. પણ છેવટે તે આ ભક્તિને—બીજા પ્રત્યેના સ્નેહભાવને-પણું છોડવી જ પડે છે; કારણ કે પ્રશસ્ત હોવા છતાં એ છે તે રાગ જ; અને, જૈન સિદ્ધાંત અનુસાર, વીતરાગ થયા વિના મોક્ષ થતું જ નથી. તેથી જ કઈ જૈન આચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે— "तब पादौ मम हृदये मम हृदय तव पदद्वये लीनम् । तिष्ठतु जिनेन्द्र तावद्यावानिर्वाणस प्राप्तिः ॥" [નિનવાળa૬, પૃ. ૧૦૮, ૨૬૨ છે. આ શ્લોકમાં ભક્તિનો પાસ તો છે જ, પણ ધ્યેયની બાબતમાં કવિ સંદિગ્ધ નથી. આ જ રીતે ભક્ત પિતાને કિકર કહે છે, શરણમાં લેવાની વાત કહે છે. કરણ કરવાનું કહે છે–આ બધાંય તો ભક્તિમાર્ગનાં છે–છતાં ભક્તિ. એ એક સાધન છે, સાધ્ય નહીં, આ વાતને જૈન આચાર્યો ક્યારેય વીસર્યા નથી જુઓ... - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy