SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગ અને જૈનદર્શન ૯૩ સિદ્ધોમાં અને એને પોતાનામાં કોઈ જાતને સ્વરૂપભેદ નથી રહેતો; અર્થાત બધાય સિદ્ધ જીવો સમાન હોય છે, અને બધાય પોતપોતાના સ્વરૂપમાં રમણ (૪) સિદ્ધો કેઈનું ભલું-ભૂંડું નથી કરતા--જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે ત્યારે સંસારી જીવો સાથેનો એનો સંબંધ છૂટી જાય છે. સાંખ્ય દર્શનના પુરુષની જેમ પછી એ માત્ર સંસારને દ્રષ્ટા જ રહે છે. એનામાં સંસારી જી પ્રત્યે કશું કરવાપણું નથી રહેતું. તેથી એની કૃપા કે એના પ્રસાદથી જીવોના ઉદ્ધારની અને એના કેપથી એમની દુર્ગતિની સંભાવના જ નથી રહેતી. સિદ્ધોથી છવ જે કંઈ લાભ મેળવવા ઈચ્છે તે એ એટલું જ કરી શકે કે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરીને પિતાના જ ઢંકાઈ ગયેલા એવા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે અને એના ફળરૂપે પોતે સિદ્ધસ્વરૂપ બની જાય. આ આ રીતે સિદ્ધનો જીવ આપણે વિકાસને માટે, પોતે તટસ્થ હોવા છતાં, નિમિત્તકારણ બની શકે છે. (૫) ભક્તિ એ પણ એક સાધન છે–જીવનું સાધ્ય મેક્ષ છે. એની સમગ્ર સાધના મોક્ષને માટે જ છે. મોક્ષનાં સાધને ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા છે. એને વિસ્તાર કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને સાધનરૂપ શાસ્ત્રોમાં જણાવેલ છે. દર્શન-શ્રદ્ધા ભક્તિથી દઢ થાય છે, તેથી ગુરુની સેવારૂપ ભક્તિ તેમ જ તીર્થકર અને સિદ્ધોના ગુણગાન, ધ્યાન, પૂજારૂપ ભક્તિને પણ જૈન સાધનામાં સ્થાન મળ્યું છે. જૈન દર્શનના ઉપર જણાવેલ સિદ્ધાંતોની સાથે જો ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંતોની સરખામણી કરવામાં આવે તો પષ્ટ રીતે સમજાશે કે ભક્તિમાર્ગના મૌલિક–પાયાના સિદ્ધાંતને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. આમ છતાં જૈન આચાર્યોએ રચેલી સ્તુતિએ ભક્તિરસથી ઓતપ્રોત છે. તે આ અંગે ડોક વિચાર કરીએ. (૧) ભગવાન સર્વ જીવોના નાથ - ભગવાન સર્વ જીવોના નાથ છે, આ માન્યતા ભક્તિમાર્ગને મૂળ સિદ્ધાંત છે. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એટલે એ જ સમસ્ત સંસારને સ્વામી છે. સંસારના સચરાચર બધા પદાર્થોને એ પ્રભુ છે. આ સિ દાંત પ્રમાણે ભક્ત પિતાને ભગવાનને દાસ સમજે છે– ભલે પછી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy