SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ અવલંબન જૈન સંઘે ગૌણ કરી દીધું હતું. અને તે આજે પણ જેન સંધમાં જોઈ શકાય છે. તપસ્યા-દેહદમન–અનશનના ભેદ-પ્રભેદ એટલા બધા વિસ્તૃત થઈ ગયા છે કે તેનું પણ એક સ્વતંત્ર શાસ્ત્ર બની જાય છે. એમાં હવે તે આગળ-પાછળ આડંબર એટલે વધી ગયો છે કે તપસ્વી પણ તપસ્યા કરતાં એ આડંબરમાં વધારે રત બની જાય એવો સંભવ વધારે છે. આમ ભગવાન મહાવીરની ધ્યાન સાથે ઉત્કટ તપસ્યાને બદલે સંઘમાં સર્વગ્રાહ્ય એવી ઉત્કટ તપસ્યા-અનશન વગેરે–મહત્ત્વને પામી અને ધ્યાનમાર્ગ ગૌણ બની ગયે. આથી ઉલટું, બૌદ્ધ સંઘને ઇતિહાસ તપાસીએ તો જણાશે કે તેમાં પ્રાચીન પિટકામાં પણ ધ્યાનનું જે વિસ્તૃત અનુભવપૂર્ણ વર્ણન મળે છે, અને ચિત્તની વૃત્તિઓનું જે વિશ્લેષણ મળે છે, તે અન્યત્ર દુલર્ભ છે, એટલું જ નહિ પણ ઉત્તરોત્તર એ ધ્યાનમાગનો વિકાસ થતો રહ્યો છે. એથી બૌદ્ધ સંઘના અત્યારના વિસ્તૃત શિથિલાચારમાં પણ અનુભવી ધ્યાનમાર્ગના અગ્રેસરે જોવા મળે છે. એટલું જ નહિ પણ એ ધ્યાનમાગને એક સ્વતંત્ર સંપ્રદાય પણ બૌદ્ધોમાં ઊભો થયો છે. પણ ધ્યાનમાર્ગને એકાન્તિક આગ્રહ રાખવા જતાં બૌદ્ધધર્મમાં આચરણની શિથિલતા અને છેવટે તંત્રયાન જેવા વામમાર્ગ સંપ્રદાયનો વિકાસ થશે, જેને પરિણામે પણ ભારતવર્ષમાંથી બૌદ્ધધમ લુપ્ત થયે આ વસ્તુનો એક બીજી રીતે પણ વિચાર કરીએ તે વળી એક નવું જ તથ્ય નજર સામે આવે છે. ભગવાન મહાવીરનો પ્રયત્ન રાગદ્વેષને વિજય કરો એ મુખ્ય રૂપે હતો. અને તેનું આનુષંગિક ફળ કેવળજ્ઞાન અથવા પ્રજ્ઞા હતું. આથી તેઓ એવું કંઈ પણ કાર્ય કરવા તૈયાર ન હતા, જેથી રાગ-દ્વેષને પુષ્ટિ મળે. આને પરિણામે તેમણે ઉગ્ર વિહાર અને અનશનને માર્ગ અપનાવ્યો. આથી તેમના રાગ અને દ્વેષ તે વિજિત થયા જ, પણ તેમને પ્રજ્ઞા પ્રકર્ષ ભગવાન પાર્શ્વનાથની સમકક્ષ જ રહ્યો. એટલે કે અઢી વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથે દાર્શનિક વિચારણાને જે પાયો નાખ્યો હતો એને અનુસરીને જે પિતાને પરોક્ષ હતું તે તેમણે રાગદ્વેષનો વિજય કરીને પ્રત્યક્ષ કર્યું. આથી ભગવાન મહાવીરનું દર્શન પાર્ષથી જુદું પડતું નથી; કારણ, તેમનું મુખ્ય ધ્યેય રાગદ્વેષને વિજય કરવાનું હતું, નહિ કે તત્ત્વજ્ઞાનની કોઈ નવી સ્વતંત્ર ધારા પ્રવર્તાવવાનું. આપી ઉલટું, બુદ્ધિનો પ્રયત્ન પ્રજ્ઞાપ્રાપ્તિ માટે હતે. તેમને મન વીતરાગ બનવું આવશ્યક તો હતું, પણ તેમની ચિંતાને વિષય પૂર્ણ પ્રજ્ઞા હતી. પ્રજ્ઞા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy