SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ જનધર્મચિંતન પરિણામે એવી ઉત્કટતા ધર્મપ્રચારમાં અત્યંત સહાયક બને છે એમ કહી શકાય નહિ. બુદ્ધ-મહાવીરની પૃથક સાધના અને તેનું પરિણામ એક તરફ સ્વયં ભગવાન મહાવીરે ઉત્કટ કાયકલેશ સાથે સમાધિ અને સર્વજ્ઞતાને અબાધિત રીતે સિદ્ધ કરી છે એવો દાવો છે, તે બીજી તરફ બુદ્ધ કહે છે કે ઉત્કટ તપસ્યાથી પ્રજ્ઞા પ્રાપ્ત થતી નથી. તેમણે પોતે લાંબા કાળ સુધી તપસ્યા કરી તે એટલે સુધી કે શરીરમાં માત્ર હાડકાં જ રહ્યાં અને તે ખડખડ કરવા લાગ્યાં. અંતે તેમણે અનુભવ્યું કે આવી ઉત્કટ તપસ્યા એ કઈ પૂણે પ્રજ્ઞાની સાધક નથી, એટલે તેમણે તપસ્યાના માર્ગને છોડીને ધ્યાન-સમાધિમાર્ગને અપનાવ્યું અને ઈષ્ટસિદ્ધિ કરી. આ બે મહાપુરુષોના આવા જુદા જુદા અનુભવે તેમના સંધમાં પણ પરંપરાથી પુષ્ટ થયા છે; અને એમ થાય તે સ્વાભાવિક છે. જેનશાસ્ત્રોમાં તે “દેહદુ:ખં મહાફ'ની ભાવનાનો વિસ્તાર જેવામાં આવે છે; જ્યારે બૌદ્ધ શાસ્ત્રમાં ઉત્તરોત્તર દેહદમનની ઉપેક્ષા જોવામાં આવે છે. પરિણામે જન સંઘોમાં જે ઉત્તરોત્તર સંપ્રદાયો અને તેના પેટા ભેદો બન્યા, તેના મૂળમાં કોઈ વિચારભેદ યા દર્શનભેદ નહિ પણ બાહ્ય આચાર પર ઉત્કટતાભેદ જોવા મળશે. શ્વેતાંબર–દિગંબરની દાર્શનિક વિવાદની બાબતે કશી જ નથી; મુખ્ય વિવાદ છે માત્ર વસ્ત્ર પહેરવાં કે નહિ એ બાબતને; અને તેને આધારે પછી સ્ત્રીમુક્તિ હોઈ શકે કે નહીં એ પ્રશ્નમાં પણ વિવાદ થયે. શ્વેતાંબરમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં મુખ્ય ભેદ ભૂતિને પૂજવા ન પૂજવા વિષે છે. અને બાકી વેશમાં થોડો ભેદ છે. સ્થાનકવાસી અને તેરાપંથીમાં આચારની કઠોરતાને એટલે સુધી લંબાવવા પ્રયત્ન કરવામાં આવ્યો કે કેવળ બાહ્ય આચરણમાં જ કઠોરતા રહી અને અહિંસાના વિચારને એ આચારની કઠોરતાની કસોટીએ કસવા જતાં, તેરાપંથીમાં અહિંસાને વિચાર કેવળ દયાશન્ય-કરુણાન્ય એક હાસ્યાસ્પદ સિદ્ધાંત બની ગયો ! આમ દેહદમન ઉપર ભાર આપવા જતાં ભગવાન મહાવીરને અહિંસા સિદ્ધાંત કેવી દયનીય સ્થિતિને પામ્યો તે આપણે જોઈ શકીએ છીએ. વળી, જૈન શાસ્ત્રમાં ધ્યાનનું–જે વર્ણન અઢી હજાર વર્ષ પહેલાંનું મળે છે તે ધ્યાનની સાધના સંઘમાં ચાલુ રહી હોય તેમ જણાતું નથી, કારણ, એ ધ્યાન અંગેની પ્રક્રિયાના પ્રાચીન નિરૂપણમાં જોઈએ તેટલી વિશદતા મળતી નથી; અને ત્યાર પછી પણ એના વિષે ધ્યાન કરનારને સહાયક બની શકે એવું પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ થયેલું ઉપલબ્ધ થતું નથી. એ બતાવે છે કે ધ્યાનમાર્ગનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy