SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ८७ દોર બહુ લાંબો હોય છે. એટલે મધ્યમ માર્ગમાંથી શિથિલાચાર તરફ સરકવું બહુ સરલ થઈ પડે છે. એક તરફ બુદ્ધ અને તેમના અનુયાયીઓને જેને ભિક્ષએના આચરણમાં માત્ર દેહદંડ સિવાય કશું દેખાયું નહિ; અને તેમણે જેનાચાર વિષે આક્ષેપ કરે શરૂ કર્યો કે આ લેકે તે માનસિક પાપ કરતાં શારીરિક પાપને અધિક મહત્ત્વ આપે છે. એટલે શરીરકષ્ટ ભોગવી પાપક્ષય કરવાની ફિકરમાં પડ્યા છે તે બીજી તરફ જૈન સંઘના અનુયાયીઓ બૌદ્ધભિક્ષુ વિષે આક્ષેપ કરવા લાગ્યા કે આ તે સુખશીલિયા છે. આ આક્ષેપમાં આંશિક સત્ય રહેલું જ છે, એ સ્વીકારવું જોઈએ. આચરણ અને પ્રચારને સંબંધ આચરણની ઉત્કટતા અને મધ્યમમાગિતા ધર્મ પ્રચારમાં શે ભાગ ભજવે છે તેનો વિચાર કરીએ તો જણાઈ આવશે કે બુદ્ધને મધ્યમમાગે ધર્મપ્રચારમાં બહુ મોટો ફાળો આપે છે. તેમને ધર્મ વિશ્વવ્યાપી બની ગયો છે એ સાચું, પણ બુદ્ધના બુદ્ધત્વને અને તેના આનુષંગિક ધર્મોને વસ્તુત: કેટલે પ્રચાર થયે છે એની પરીક્ષા કરીએ તે જણાશે કે બુદ્ધત્વ અને તેના આનુષંગિક ધર્મોને ભોગે જ એ પ્રચાર થયો છે. એમાં બુદ્ધનું નામ છે, પણ બુદ્ધત્વને પ્રકાશ નથી. એટલે જ ભારતીય બૌદ્ધ અને તિબેટના બૌદ્ધમાં, એ બંને માત્ર બુદ્ધને આરાધ્ય સ્વીકારે છે એ સિવાય વિશેષ કશું જ સામ્ય નથી; એટલું જ નહિ પણ બુદ્ધની મહાકરુણના સિદ્ધાંતને જીવનમાં પડઘો કેટલે પડ્યો એની ઊંડી તપાસ કરીએ તે નિરાશ જ થવું પડે છે ! બીજી તરફ જેન માર્ગની ઉત્કટતાને કારણે અને તેની અવ્યવહારુતાને કારણે તેને પ્રચાર બહુ જ ધીમી ગતિએ થયે છે; એટલું જ નહિ, પણ પ્રજાના બહુ જ ચેડા ભાગમાં તેણે ઊંડાં મૂળ નાંખ્યાં છે. જૈનધર્મને ઉદ્ભવ જે ભૂમિમાં થયો ત્યાં આજે તેનું નામનિશાન નથી. અને જ્યાં છે ત્યાં પણ જેના- ચારની ઉત્કટતામાં અનેક રૂપે શિથિલતાએ પ્રવેશ કર્યો છે–જોકે બાહ્ય દેખું એવું ને એવું રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નગ્નતાના આગ્રહી દિગંબરોમાં તૃષ્ણત્યાગ કરતાં નગ્નતાનું માહામ્ય વધી ગયું છે, તો શ્વેતાંબરોમાં વરુ આદિ સામગ્રીને ઠઠારે એટલે બધે વધી ગયો છે કે તેમને ભગવાન મહાવીરના મૂળ ઉત્કટ કાયકલેશ સાથે બહુ જ ઓછો સંબંધ રહ્યો છે. આમ ઉત્કટતાને કારણે આંતર-બાહ્ય જીવનમાં વિષમતાએ પ્રવેશ કર્યો અને પ્રચારમાં પણ શૈથિલ્ય રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy