SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જૈનધર્મચિંતન મૂળપ્રવાહ સાથે ગાઢ સંબંધ જોડી રાખે છે. તેમણે પોતાના આચારને પોષવા માટે શાસ્ત્ર અને લોકાચારનો આશ્રય લીધે એ ખરું, દિગંબરની માફક એમ તો ન જ કહ્યું કે એ શાસ્ત્રો જ એમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મનફાવતા અપવાદ ઉમેર્યા, પણ મૂળ પાઠોને તે યથાર્થરૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે, એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમોમાંથી પોતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણી જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમોમાં પણ સુધારા-વધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્ત્રના સમર્થનની જ દષ્ટિ રહી છે, એવું પણ નથી. એ પણ સ્પષ્ટ છે. અને જૈન પરંપરાના આચાર-કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરમાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી. તે મૂળ પ્રવાહથી તેમને વિચ્છેદ અને શ્વેતાંબરોની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક-પ્રતિક્રમણ જેવા દેનિક ક્રિયાકાંડ પણ દિગંબરોમાં સુરક્ષિત નથી રહ્યા છે તેમને પરંપરા - વિચ્છેદ કહી જાય છે. આમ ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે તાંબરો ખાટી જાય, પણ તેમની આચારની શિથિલતાએ દિગંબર સંપ્રદાયને જન્મ આપ્યો એમ કહેવું જોઈએ. શ્વેતાંબરેના અથવા તે શિથિલાચારીઓના વિરોધમાં દિગંબર સંપ્રદાય નવા બળ સાથે ઊભો થયો અને ભગવાન મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ બને. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે. સ્વયં શ્વેતાંબરાએ પણ ચિત્યવાસ વિરુદ્ધ મેટું આંદોલન જગાવ્યું હતું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણે મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબર સંપ્રદાયમાં પણ ભદ્રારકાની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઊતરતી નથી. અને સમાજ પર અધિકાંશ પ્રભુત્વ તે એ ભટ્ટારકેનું જ રહ્યું છે. કારણ, ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિઓને તે દિગબર સમાજમાં પણ હંમેશા તટો જ રહ્યો છે અને એ જ વસ્તુ શ્વેતાંબરના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણાવી જાય છે. વેતાંબરોમાં અનેકવાર ક્રિોદ્ધાર કરે પડયો છે અને નવા નવા ગો-સંપ્રદાય ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરામાં પણ અનેક વાર ક્રિયેદ્ધાર કરે પડ્યો છે. આથી આચારની અકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ છે, તેમ દિગંબની એવી માન્યતા કે આચારની ઉત્કટતા તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy