SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈનધર્મ તેમાંના કેટલાક સંપ્રદાયકેાટિમાં ગણવા યોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિદ્વેષને કારણે નિદ્ભવ ગણવામાં આવ્યા છે એમ માનવુ રહ્યું. નાનામેટા મતભેદોને કારણ કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસેાના કારણે તેના અનેક સંપ્રદાયા કે ગો થતા આવ્યા છે; તે બધાની પૃથક્ ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહીં તે। માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવ શાળા સંપ્રદાયા વિષે સંક્ષેપમાં કહેવાનુ` છે. એવા સંપ્રદાયામાં મુખ્ય એ છે : શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષેને છે, ७७ શ્વેતામર અને દિગંબર વિદ્વાનેામાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ એમાં કાણુ પહેલુ અને કાણુ ભગવાનના મૂળ મા તે અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનેએ ઈસ્વીસન પૂર્વેનું માન્યું છે એને આધાર લઈને વિચાર કરીએ તે! એક વાત સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના અનેકાંતવાદી હતા. તેએ પેાતે નગ્ન હતા, છતાં તેમના શ્રમણુસંધમાં માત્ર નગ્ન ભિક્ષુએ જ હતા એવું માનવાને કારણ નથી. જેએ સથા નગ્ન ન થઈ શકતા, તેઓને મર્યાદિત વસ્ત્ર વાપવાની છૂટ હતી. વળી, પાર્શ્વના અનુયાયી શ્રમણે જ્યારે મહાવીર પાસે દીક્ષા લે છે, ત્યારે પુન: પાંચ મહાવ્રતાના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવત નને! ઉલ્લેખ નથી, અને તે તેા વસ્ત્ર પહેરતા હતા, એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગબરાના પ્રાચીન આગમ ષટ્સ'ડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હાવા વિષે સ્વીકારાયુ છે. એટલે માની શકાય કે સ્ત્રીને મેાક્ષ નથી એ માન્યતા પાછળથી દિગંબરાચાયૅએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દીમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અથ` કરવામાં મુશ્કેલી અનુભવી છે; અને આધુનિકાએ તા એ પાઠનું જ પરિવર્તન કરવાનું ઉચિત માન્યું છે ! આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના માર્ગમાં જ્યારે વસ્ત્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજયતાનું સમર્થાંન જેમ જેમ ઉત્તરાત્તર વધ્યું હશે તેમ તેમ અને મતા ધરાવનારા વર્ગને મનમેળ ઘટતા ચાલ્યેા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયા બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્ર જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર દિગંબરમા મૂળ માથી જુદા પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરામાં બાહ્ય આચારની ઉત્કટતા ભલે ન હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર એવાં પણ શાસ્ત્રાનું સંરક્ષણ તે તેમણે કહ્યુ છે, એ હીત છે. અને એ હકીકત તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy