SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ જૈનધર્મચિંતન એકાંતવાદને જન્મ દુરાગ્રહમાંથી છે, જ્યારે એવા આગ્રહને જૈનદર્શનમાં કઈ સ્થાન નથી. પણ આનો અર્થ એ નથી કે જૈન દર્શન કે ધર્મની વિચારણામાં બધી બાબતમાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કઈ વિચારસરણી સંપ્રદાયનું રૂપ ધારણ કરે અને નાના-મોટા આચારભેદો ઊભા થાય, તેમાં એમ બની શકે જ નહિ. આથી નાના–મોટા આચારભેદનો સમન્વય જૈન આચાર્યો કરી શક્યા નહિ. આશ્ચર્યની વાત તે એ છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોને સમન્વય કરવા પ્રયત્ન કર્યો, તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય કરી ન શક્યા અને પોતપોતાના મતને આગ્રહપૂર્વક વળગી રહ્યા; પરિણામે જનધર્મમાં પણ અનેક સંપ્રદાય થયા. આમાં મનુષ્ય–સ્વભાવની માત્ર પોતાના મતને જ વળગી રહેવાની જે નિર્બળતા છે તેનું જ દર્શન થાય છે. પિતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી, પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરવો એ ખોટું છે. એવો પ્રયત્ન થયો હોત તો જેનધર્મમાં સંપ્રદાયનો ઉદ્દભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડન–મંડનમાં ઊતર્યા ન હતા પણ એ જ તે મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને દૂર કરવા પ્રયત્ન ભગવાન મહાવીરનો હતે. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશને સાર જેને લીધે નહિ. સંપ્રદાય જૈનધર્મના સંપ્રદાયે વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા નિનોને વિચાર કરવો જરૂરી છે. નિર્દાનના મતે એ જનધર્મના સંપ્રદાય એટલા માટે નથી ગણાતા કે તેમના પ્રવતર્કોએ સ્વયં ભગવાન મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું; તેમના પ્રામાણ્યને જ અવગણ્યું હતું. આથી તે નિફનો ગણાયા, સંપ્રદાય પ્રવર્તકે નહિ. ભગવાન મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેનો અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાય બને છે. તેના મૂળ પુરુષના પ્રામાણ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થઘટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાય ભલે એકબીજાને નિનવ કહેતા હોય પણ તે સંપ્રદાયે જ છે. શાસ્ત્રમાં જે નિદૃને ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુત: નિનો નથી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy