SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈનધર્મ ૭૫ કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થોડું કહેવું જરૂરી છે. લાખોના દાન કરનારને પણ પિતાના નવા વિચાર કે મતને જે આગ્રહ હોય છે તે અજબ હેાય છે. કેઈ વ્યક્તિએ જ્યારે પણ કોઈને વિષે કોઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય, ત્યારે તેની પાછળ કઈને કઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દૃષ્ટિબિંદુનો વિચાર કર્યા વિના જે કોઈને મત વખેડવામાં આવે છે તેને જબરો આઘાત થાય તે સ્વાભાવિક છે. વગરવિચાર્યું કેઈને આ આઘાત આપ તે પણ હિંસા જ છે. આથી બીજાના દષ્ટિબિંદુને સમજવાનો આદેશ આપીને ભગવાન મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ મા તે માનસિક અહિંસાને પ્રકાર જ છે. આચાર્યોએ તે તથાકથિત મિથ્યાદર્શનના સમૂહને જ જૈનદર્શનનું નામ આપ્યું છે, પણ મિથ્યાદર્શનને સરવાળો સમ્યગ્ગદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દશને મિથ્યા છે તેવું પરસ્પર દાર્શનિકોનું મંતવ્ય છે, તેનું કારણ તેમનામાં રહેલ દાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી શકતો. નથી, માત્ર પિતામાં અન્ય હેય એમ માને છે; આથી તે વિપક્ષીને મિથ્યા કહે છે. તે જ પ્રમાણે વિપક્ષી પણ સામાને મિથ્યા કહેવાને. પણ જો કોઈ તટસ્થ વ્યક્તિ એ બંનેમાં રહેલા સત્યને જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા. રહેતું નથી. આથી પરસ્પરને પિતાના દાગ્રહને કારણે મિથ્યા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હેઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન અને છે. તેનું આવું દર્શન એ નથી સંશયવાદ કે નથી અનિશ્ચયવાદ; તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દૃષ્ટિએ તપાસીને સત્યને સ્વીકાર કરનારને એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતા નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પોતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે; એને અનન્તચક્ષુ પણ કહી શકાય; કારણ, એમાં વસ્તુને અનંત ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે. આજના આપણા રાજનૈતિક વિચારોમાં જે સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ સત્યદર્શનનું કરવાનું વલણ, એ જ મુખ્ય ભાગ ભજવે છે. હિંદુધર્મમાં જે વિવિધ દર્શન છે, તેમાં તત્ત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવાયો જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિઃશંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy