SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ જૈનધર્મચિંતન આભારી છે. શ્રાવકેમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધમિકવાત્સલ્ય, અમારિઝવતન આદિ અહિંસાની વિધાયક પ્રવૃતિ છે. જીવનમાં ધ્યાન, સ્વાધ્યાય એ પણ રાગ-દ્વેષાદિ દોષો, જેને લઈને હિંસા જન્મે છે, તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષની જ થાય છે. અને તે એવા આદર્શ પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જે પૂજામાં વીતરાગપણના આદર્શ પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃતિ હોય તો તે ત્યાજય જ કરે છે. આમ વિચાર કરીએ તે, જીવનમાં પરમઅહિંસક ભાવરૂપ બ્રહ્મની સિદ્ધિ અથે જ સકર આચારનું નિર્માણ જૈનધર્મમાં છે. જૈનધર્મને આ પ્રકારના અહિંસક વલણની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે. જેમાં પ્રચલિત સામાયિક એટલે કે સમભાવની-સર્વ જીવોને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે, માટે સોને સમાન માની કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, આ ભાવનાની–અસર ગીતાના સામ્યયોગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતમાં કહેલ “મારમર: પ્રતિક્રાનિ ઘરેણાં ન સમારેતુ”—ધર્મતત્ત્વને આ સાર પણ શ્રમણની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શંકાને સ્થાન નથી. જેનોની આવી તાત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી, તેના નિવારણ અર્થે કરે કેટલાક અપવાદો છેદગ્રન્થાના ટીકાગ્રન્થમાં સચવાયા છે, તેમાં જૈનધર્મની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેવું ઘણું છે. પણ અપવાદોની એ વિચારણને વિરોધ સ્વયં જેનોએ જ કર્યો છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાને સતત જાગૃતિપૂર્વક પ્રયત્ન જૈનાચાર્યો કરતા રહ્યા છે. જૈન વિચાર–અનેકાંતવાદ આગળ કહ્યું તેમ, જૈન ધર્મના આચારનું મૂળ અહિંસા છે, તે તે જ અહિંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદર્શનનો ઉદ્દભવ થયો છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદોના ઋષિએ અદ્વૈતને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્ત્વરૂપ જ છે, આવી ભાવના વિશેષ રૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લોકો હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા. આ બંને વિરોધી વાદોનો સમન્વય ભગવાન મહાવીરના દર્શનમાં થયો છે. તેમણે જડ-ચેતન બંને તને સ્વીકાર્યા છે. દાર્શનિક ક્ષેત્રે અનેક બાબતોમાં ભગવાન મહાવીરનું આવું વલણ રહ્યું છે. તે વિષે હવે અહીં વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy