SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈન ધર્મ રહેલું જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ બીજાને ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થકર બનવાને સમાન અધિકાર છે. આથી જ જૈનધર્મનું પ્રચલન કેઈ એક મહાપુરુષના નામે નથી મનાયું, પણ તે જિનેને એટલે કે રાગદંષને જીતનારાઓને ધમ મનાય છે. બધા વીતરાગો કાંઈ પરકલ્યાણની પ્રવૃતિ કરતા નથી, પણ જે કોઈ જન્મ-જન્માક્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈને કરુણાને અભ્યાસ કરે છે અને પોતાની સાધનાને જગતના હિતાર્થે વાળે છે તેવા જ સાધકે તીર્થકરપદને પામે છે. આમ અવતાર અને તીર્થકરોની ભાવનામાં એક વસ્તુનું સામ્ય તો છે જ કે સૌના મનમાં ધર્ણોદ્ધાર કે ધર્મનું માર્ગદર્શન આપવાની ભાવના સરખી હોય છે. અહિંસામૂલક જેન આચાર જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બ્રાહ્ય આચરણ કરતાં અંતરનો ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બ્રાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ-વિધાનમાં ઓછો અવકાશ છે. બ્રાહ્ય આચારનું ત્યાં સુધી જ મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરોત્તર નિમેળ કરવામાં સહાયક હોય. જો આમ ન બનતું હોય તે પછી બ્રાહ્યાચારને કશો જ અર્થ રહેતો નથી. સમગ્ર જૈન આચારને ભાર આમ આંતર ભાવ ઉપર છે. પણ તે કયો ભાવ, એ પ્રશ્ન થાય તો તેને ઉત્તર એ છે કે આભૌપમ અથવા સમભાવ, અહિંસા એ સમભાવ કે આત્મૌપામ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સવ ધાર્મિક આચારના મૂળમાં મનાઈ છે. કારણ કે સત્ય, અચૌર્ય, બ્રહ્યચર્ય કે અપરિગ્રહ એ સા અહિંસામૂલક છે, અથવા તો અહિંસાનો જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારના નિયમે ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે : હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ, અને સકલ જીવો પ્રત્યે મંત્રી રાખવી અને તેમના કલ્યાણનો પ્રયત્ન કરે તે વિધાયક રૂપ. જીવનમાં કહ્યું, અનુકશ્યા, દયા કે દાન એ બધાં અહિંસાના વિધાયક તત્ત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિપ્રધાન રૂપને આભારી છે. આપણે જોઈએ છીએ કે તીર્થકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ઘ ઉપવાસની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિપ્રધાનરૂપ છે. પણ તીર્થની સ્થાપના માટે તેઓ ઉગ્રવિહારી બન્યા અને લેકને આદિકલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંત કલ્યાણ-એ ઉપદેશ આપવા જે કષ્ટ સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy