SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપચારથી બાળકને થોડી રાહત થઈ. પછી તરત જ તેને ઊંચકીને તેઓ તેને એક દવાખાને લઈ ગયા અને ત્યાં તેની સારવાર કરાવી. જ્યારે સવર્ણોને આ વાતની ખબર પડી કે દ્વિવેદીજીએ જનોઈ કાઢીને તે હરિજનના છોકરાના પગે બાંધી હતી ત્યારે તેમણે દ્વિવેદીજીના માથે માછલાં ધોવામાં કશું બાકી રાખ્યું નહિ. - દ્વિવેદીજીએ તો આની કશી પરવા કર્યા વિના તે લોકોને કહ્યું, “જો જનોઈ માનવકલ્યાણના કામમાં ન આવે તો એવી જનોઈ શરીર પર ધારણ કરીને તેનો ભાર વેંઢારવાનો શો અર્થ? હરિજન બાળકને હું અડક્યો અને તેથી જો મારે કદાચ નરકમાં જવું પડે તો એ માટે પણ હું તૈયાર જ છું !” ( માતા-પિતા કે જેમણે તારા આંસુ લુછડ્યાં, કીધાં મબલખ લાડ, દુઃખ વેઠીને તુજ જીવનમાં, ખડક્યા સુખના પહાડ, એ જ માતા-પિતાનું કાં કરતો, આજે તું અપમાન ? કાં દેખાડે એ મને આજે, ઘરડાઘરનું દ્વાર ? નામ તમારા ભવ્ય ભવનનું ચીતર્યું છે - “માતૃછાયા પણ ક્યાંય મળે ના જોવા એમાં મમતાળુ માની છાયા!! દીકરા કેરા મુખને, જુએ આંખ વિનાની મા! કિન્ત દેખી શક્તો દીકરો, જોઈ શકે ન મા! પ્રેમસુધારસ પાઈને, જેમણે તને નભાવ્યો; એ માવતરનો પડછાયો પણ, કાં તને ન ભાવ્યો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy