SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વેડફવું કે વાપરવું ? મહર્ષિ રમણ એમના આશ્રમમાં પતરાળા બનાવી રહ્યા છે. ત્યાં એક માણસ આવી ચડ્યો. આવા મોટા સંત પતરાળા બનાવવાનું કામ કરે છે અને કેટલી કાળજીપૂર્વક ! એ આવ્યો હતો પોતાની મૂંઝવણ લઈને, પણ સંતને કાર્યમગ્ન જોઈ મૂંગો બેસી રહ્યો. સંત કહે, “તમે બહુ ચિંતામાં લાગો છો. કંઈ સમસ્યા નડે “બાપજી, સમસ્યા એક નહીં, અનેક છે. ત્રણ સાંધુ ને તેર તૂટે છે. માથાના વાળ જેટલું દેવું થયું છે. બીમારી કેડો મૂકતી નથી. કૌટુંબિક કંકાસ ને પડોશીઓ જોડે ઝઘડા.... એટલો બધો ત્રાસી ગયો છું કે આ દોઝખમાંથી છૂટવા આત્મહત્યાના નિર્ણય ઉપર આવી ગયો છું. છેલ્લે આપના દર્શન ક૨વાની ભાવના થઈ એટલે આવ્યો છું. હવે જઈને જિંદગીનો અંત આણીશ. એ પહેલાં કંઈ આજ્ઞા હોય તો ફરમાવો.” છે?'’ સંત ઊંડી કોઠાસૂઝ ધરાવતા હતા. જયારે માણસ પોતાના પ્રશ્નોથી ભયંકર રીતે ત્રાસી ગયો હોય અને આત્મઘાત કરવાની ગાંઠ વાળી ચૂકયો હોય ત્યારે ઉપદેશના નાયગરા ધોધ પણ નિષ્ફળ જાય. સંત કહે, “મારું થોડું કામ કરશો ?’’ માણસ, “ખુશીથી ફ૨માવો, શું કામ છે ?' । ૪ Jain Education International For Private & Personal Use Only જીવન મગલ www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy