SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તો જનોઈનો કશો અર્થ નથી ! હિંદી ભાષાના મહાન સાહિત્યકાર મહાવીરપ્રસાદ દ્વિવેદીના જીવનનો એક પ્રસંગ છે. એકવાર તેઓ કોઈ રસ્તા પર ટહેલી રહ્યા હતા, એવામાં કોઈ બાળકનો રડવાનો અવાજ તેમના કાને પડ્યો. થોડે દૂર ચાલીને જોયું તો ત્યાં કોઈ બાળકને સાપ કરડ્યો હતો અને એ બાળક પીડાથી રડી રહ્યો હતો. દ્વિવેદીજી બાળક પાસે જવા લાગ્યા તો આસપાસ ઊભેલાં લોકો બોલી ઊઠ્યાં, “એની પાસે ન જતા.’ ‘કેમ વાર?' “એ તો હરિજનનો બાળક છે! રિજનને આપણાથી કંઈ ઓછું અડકાય ?'' પણ દ્વિવેદીજી તો ત્યાં જઈને બાળક પાસે બેસી ગયા. જે જગાએ બાળકને સાપે દંશ દીધો હતો એ જગા પર કોઈ દોરી બાંધવાની તેમને જરૂરિયાત લાગી. તેમણે પેલા લોકો પાસે દોરી માગી, પણ કોઈએ દોરી આપી નહિ. દ્વિવેદીજીએ તરત જ પોતાની જનોઈ શરીર પરથી ઉતારી નાખી અને બાળકના પગ પર જોરથી બાંધી દીધી. પછી દંશ પર ચપ્પુથી ચીરો કરીને તેમાંથી થોડું ઝેરી લોહી બહાર કાઢ્યું. આ પ્રાથમિક જીવન મંગલ Janation International For Private & Personal Use Only
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy