SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મારે નથી જોઈતી તમારી નોકરી ! મારા દેશના સૈનિકો બેઈમાન છે એવું હું કદી પણ લખી શકું નહિ.” અને પ્રશ્નપત્ર ફાડીને તેઓ તરત જ પરીક્ષાખંડમાંથી બહાર નીકળી ગયા. સિફળતા કાયદો જહોન હંટર નામના એક પ્રખ્યાત દાકતર થઈ ગયા. એક વાર કોઈએ એમને પૂછયું, “દાકતર સાહેબ, આપને આપના કામમાં આટલી સફળતા મળી છે, એનું કારણ શું?” ડૉ. જહૉન હંટર નમ્રપણે બોલ્યા, “મારો એવો સિદ્ધાંત છે કે, કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં હું એ વિષે સારી પેઠે વિચારી લઉં છું. મારાથી એ કામ બરોબર પાર પડશે કે નહીં, એનો હું તાગ કાઢી લઉં . જો એ કામ મારાથી થઈ શકે એવું હોય, તો પછી એની પાછળ તનતોડ મહેનત કરવામાં હું જરાયે કસર આવવા દેતો નથી. એક વાર કોઈ પણ કામનો આરંભ કરું છું, પછી તેને પાર પાડીને જ હું જંપુ છું. આ જ સિદ્ધાંતોના આધારે ચાલવાથી મને મારા કામમાં સફળતા મળી છે.” પુસ્તકોનું મૂલ્ય | છે જે વ્યક્તિના ઘરમાં સારા પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર નથી પણ સ્મશાન છે. - મહાત્મા ગાંધીજી રત્ન બહારની ચમક બતાવે છે, જયારે સારા પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ કરે છે. તેથી પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. Rાનમાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy