SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કોમળ હૃદય બંગાળના ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સાક્ષાત્ દયાની એક જીવંત મૂર્તિ સમાન હતા. તેમનામાં બચપણથી જ દયાના સંસ્કારનું આરોપણ કરનાર તેમની માતા હતા. માતાએ વિદ્યાસાગરને બચપણથી જ ગરીબોની સેવા કરવાનું શીખવાડ્યું હતું.વિદ્યાસાગરની માતા પોતાના બાળકોને જે ઉપદેશ આપતા એ પોતાના જીવનમાં ચરિતાર્થ પણ કરી બતાવતા. શિયાળાની એક સાંજ ! કડકડતી કાતિલ ઠંડીમાં એક ભિખારણ પોતાના એક બાળકને લઈ વિદ્યાસાગરની માતા પાસે આવી. એના બાળક પર એક ફાટેલા ચીંથરા સિવાય અન્ય કોઈ વસ્ત્ર નહોતું અને એ બાઈને જ્યાં સાદા કપડાનાં પણ ફાંફા હોય ત્યાં ગરમ કપડાંની તો વાત જ શી કરવી? ભિખારણે વિદ્યાસાગરની માતાને આંસુભરી આંખે કહ્યું, “મા, એકાદ ગરમ વસ્ત્ર મળી જાય તો મારા આ નાના બાળકની ઠંડીથી રક્ષા થાય.'' વિદ્યાસાગરની માતા આ કંગાળ બાઈના બાળકને ઠંડીમાં ધ્રુજતું જોઈ લાગણીવશ બન્યા. તેમણે જરા પણ વિચાર કર્યા વિના પોતાના શરીરે જે ગરમ ધાબળો ઓઢયો હતો તે ઉતારીને પેલી બાઈના હાથમાં મૂકયો અને કહ્યું, “બહેન,બાળકને આ ધાબળો ઓઢાડજો !'' જીવન મંગલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy