SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત મારા દૂરના સગાં બહેન એમના ગામથી, બધા રોવા આવેલાં તેની સાથે આવ્યા હતા રોવાનું પતી ગયા પછી મને મળવા આવ્યા. મેં પૂછ્યું, “અહીં તમે જેમને ત્યાં ગુજરી જવાથી રોવા આવ્યા એ તમારા સગાં થાય ?” એમણે કહ્યું, “ના, મને રડાવતાં સારું આવડે છે એટલે મરણપ્રસંગે લોકો મને બોલાવે છે.’ મેં શ્રી તત્ત્વાર્થસૂત્ર કાઢી વંચાવ્યું કે રડવું અને રડાવવું એ બંને અશાતાવેદનીય કર્મ બંધાવાના કારણો છે અને એ બહેને રડાવવાનું કાયમને માટે છોડી દીધું. આપણે પણ આ નૂતન વર્ષે રડવું – રડાવવું વગેરે છોડવાનો નિયમ લઈશું ? 感 મણિભાઈ ઝ શાહ મોત તરફ ઘડિયાળમાં ૧૨ વાગ્યાના ટકોરા પડ્યા. ઘડિયાળની સામે મેં જોયું તો ઘડિયાળ હસતી હતી. “તું હસે છે કેમ ?’” “હસું નહિ તો શું કરું ? તું એમ માને છે કે હું ફરી રહી છું. પરંતુ હકીકતમાં તો તું જ ફરી રહ્યો છે. મારા બન્ને કાંટાઓમાંના પ્રત્યેક કાંટાની ગતિ તારા મોતને નજીક લાવી રહી છે. તને તારું નજીક આવતું આ મોત દેખાતું નથી અને જાણે તું એવી રીતે જીવી રહ્યો છે કે મને તો કાંઈ જ થવાનું નથી !..તારી આ મૂર્ખાઈ પર હું હસી રહી છું.” – ઘડિયાળ બોલી. Jain Education International For Private & Personal Use Only જીવન સંચાલ www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy