SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ લ? જાણ “અમોને સદાકાળ દુઃખ પડો” – આપણે કોઈ દિવસ આવી માગણી કરતા નથી પરંતુ કુંતાજી, નરસિંહ મહેતાએ માગણી કરી, “ભગવાન અમને દુઃખ આપજો, જેથી અમે તમને એક પળ પણ ન વિસરીએ!” ભક્તોએ તેમની ભક્તિ વટાવી નથી. ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા ક્યારેય માગણી કરી નથી. એક ચક્રવર્તી રાજાએ એક કંગાળ ભિખારીને કહ્યું, “તું મારી પાસે જે જોઈએ તે માગ. તું જે અને જેટલું માગીશ તે હું તને આપીશ.” પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું, “મારું ભીખ માગવાનું ચપ્પણિયું તૂટી ગયું છે, તે નવું અપાવો.” રાજાને આ સાંભળીને દુઃખ થયું. ભિખારીને માગતા ન આવડ્યું. અઢળક ધન માગ્યું હોત તો પણ રાજા આપતું પણ આ દુર્ભાગી ભિખારીએ ભીખ માગવાનું ચપ્પણિયું માગ્યું ! આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માગણીઓ કરીએ છીએ તેથી ભગવાન નારાજ થાય છે! આપણે વગવાન પાસે ધન, બંગલા, ગાડી, વાડી, લાડી, દીકરાઓ વગેરે સાંસારિક તુચ્છ પદાર્થો માગીએ છીએ. આ બધી માગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે. સાચો ભક્ત ભગવાન પાસે માગણી કરે છે, “માગીએતો એટલુંકે મોક્ષને જ માગીએ, તમેજેનો ત્યાગ કર્યોએ કદીન માગીએ.” સંકલન : ડૉ.શનિશાબેન સોનેજી % જ 3, ૨ :. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy