SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત વિચાર વળી, સેનગઢથી પ્રકાશિત સાહિત્યમાં સમયસાર ગ્રંથના કે ગુજરાતી પદ્યમાં બહાર પડેલ છે તેમાંથી અમુક પદ્યો સાભાર લીધેલ છે. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આતિજ્ય-એ ચાર ભાવ (લક્ષણ) સમક્તિની પ્રાપ્તિમાં કારણભૂત છે. આ ભાવે તે સમકિતના પાયા સમાન છે. આ ચાર ભાવના ઉત્તરોત્તર વિકાસના પરિણામે સમકિત પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત આઠ અંગ ઉપરોક્ત ચા૨ ભાવમાંથી પ્રગટ થાય છે, અગર આઠ અંગ એ ચાર ભામાંથી પુષ્ટિ મેળવે છે, એવો લક્ષણ અને અંગને સંબંધ છે તો તે કેવી રીતે બને છે તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ. (૧) પ્રશમ ભાવ કષાયની તીવ્રતા મંદ કરીને સમતાભાવને ઉત્પન્ન કરે છે. સમતાભાવની કમળતા આવતાં આત્મતત્વને બોધ આપોઆપ સહજ રીતે થાય છે. આવા બધથી અનાદિકાળથી ચાલી આવતી શંકાઓ અને ભ્રાંતિગત ધારણાઓનું નિરાકરણ થાય છે. પરિણામે નિઃશંકિત ગુણ પ્રગટ થાય છે. સમ્યકતવવંત જ નિશકિત, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. (શ્રી સમયસાર ગાથા-૨૨૮) નિઃશંકા ગુણને વિકાસ થતાં એક બાજુ ઉત્તરોત્તર પ્રશમ ભાવને તે પોષણ આપે છે અને બીજી બાજુ સમતાભાવ અને નિશકિત ગુણ તેઓની પ્રસાદીરૂપે ઉપગૂહનના પાંચમાં અંગને જન્મ આપી તેનું પિષણ કરે છે. જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગૃહક છે સૌ ધમને, પંચભૂતિ” તે ઉપગૃહનકર, સમિતિદષ્ટિ તે જાણવો.” (શ્રી સમયસાર ગાથા-૨૩૩) (૨) સંવેગ ભાવના પરિણામે સારાયે સંસારની ઉપલબ્ધિ અને ઉપાધિરણે સમકિતીને કષ્ટરૂપ લાગે છે એટલે તેનું આકર્ષણ મંદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy