SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમતિના અંગ ૭૩ પિતાના આત્મામાં નિર્ભય થઈને રહેવું તે નિશ્ચયનયથી અભયતા છે. (૪) આચાર્ય હરિભદ્રસુરિજીએ શંકાના બે પ્રકાર-દેશ શંકા અને સર્વશંકા-બતાવ્યા છે. સર્વ જીવ સમાન છે તેવું શાસ્ત્રોમાં કથન છે ત્યારે બીજી બાજુ માં ભવ્ય-અભવ્યના પ્રકાર બતાવ્યા છે તે શા માટે? આવી આવી શંકાઓ ઉઠવી તે દેશશંકા કહેવાય છે. જિનવાણમાં ઘણી વાતે કાલ્પનિક છે તેમ માની લેવું તે સર્વશંકા કહેવાય છે. આવા પ્રકારની શંકા ન લાવવી તે નિઃશંકાને ગુણ કહેવાય છે. (૨) નિ:કાંક્ષા : ધર્મફળ રૂપે કોઈપણ પ્રકારની ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહીં પરંતુ આત્માથે કર્મ-નિર્જરાના હેતુ રૂપે જ ધર્મક્રિયાઓ કરે તે નિ:કાંક્ષાનો ગુણ છે. (૩) નિર્વિચિકિત્સા : વિચિકિત્સાને અર્થ છે મતિ-વિભ્રમ. ઘણાં લેકે ધર્મક્રિયાઅનુષ્ઠાનાદિ કરતાં હોય છે તેમ છતાં તેમના દિલમાં ફળ સંબંધિ સંદેહ હોય છે. અને પરિણામે તેઓ તેમાં શિથિલ થઈ જાય છે. આ એક પ્રકારનો મતિ-વિભ્રમ છે, જેને વિચિકિત્સા કહેવાય છે. આ સંદેહ ન રાખવો તે નિવિચિકિત્સા છે. નિશ્ચયનયથી આત્મસ્વરૂપની મગનતામાં સામ્યભાવનું અવલંબન કરે છે તે નિર્વિચિકિત્સા ગુણ છે. કઈ કઈ આચાર્યોએ નિર્વિચિકિત્સાના બદલે નિર્વિજુગુપ્સાની સંજ્ઞા વાપરી છે. આનો અર્થ એ છે કે મલીનને દેખીને કે મને દેખીને ગ્લાનિભાવ ન હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy