SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિનાં લક્ષણ પર આસ્થા-શ્રદ્ધા. આ વ્યવહાર આસ્થા છે. પારમાર્થિક આસ્તિકતા જે ત્રણે કાળમાં અબાધિત સત્યરૂપ છે તે પિતાને આત્મા એટલે આત્મતત્વ પર શ્રદ્ધા–એ છે પારમાર્થિક આસ્થા. આ રીતે આત્મતત્ત્વ પર પારમાર્થિક અને યુક્તિ પ્રમાણથી સિદ્ધ પદાર્થ અગર તત્ત્વ ઉપર વ્યવહારિક આસ્થા અગર શ્રદ્ધાને આસ્તિકતા કહેવાય છે. ઉપર બતાવેલ પાંચેય પ્રકારના ગુણ સમ્યકૃત્વ હોય તો જ ગુણ કહેવાય છે અને મિથ્યાત્વ સાથે હોય તો તેને આભાસ કહેવામાં આવે છે. પરંતુ ગુણ કહેવામાં આવતા નથી. કઈ કઈ આચાર્યોએ સંવેગ અને નિર્વેદને એક સાથે મૂકી, ચાર ગુણેને લક્ષણ તરીકે બતાવ્યા છે. કઈ કઈ આચાર્યોએ સમક્તિના નીચે મુજબ આઠ લક્ષણ બતાવ્યા છે : (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહ, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય અને (૮) અનુકંપા. સંવેગ અને નિર્વેદમાં વાત્સલ્ય અને ભક્તિ તેમજ ઉપશમપ્રશમમાં નિંદા અને ગહને સમાવેશ થઈ જાય છે એટલે તેનું વિવેચન જરૂરી જણાતું નથી, તેમ છતાં નિંદા અને ગહ શબ્દને ઉપગ જવલ્લેજ થતું હોવાથી (ઘણું ખરા આચાર્યોએ કરેલ નહિ હોવાથી) તેને અર્થ સમજી લઈએ. પિતાના અવગુણે બીજાને કહેવા કે જેથી પિતાના બીજ વિદ્યમાન ગુણોનું પિતાને અભિમાન ન થાય તે નિંદા છે. પિતાના અવગુણની નિંદા પિતાના મનમાં કરવી કે જેથી પોતાના આત્મવિકાસ માટે પિતાને ઉત્સાહ ટકી રહે–વધે–એ ગહી છે. અને શબ્દ સાથે વાંચતા અર્થ એ થાય છે કે સમકિત જીવ જાણે છે મારે આત્મા સિદ્ધસમ શુદ્ધ છે તે પણ હમણાં કર્મબળથી અશુદ્ધ થઈ રહ્યો છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી હું નિંદાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy