SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવાણીનું સ્વરૂપ સ્વરૂપ (૩) પદાર્થ નરૂપણની રીત અને તેનું સ્વરૂપ અને (૪) સ્થા અગર કથનપદ્ધતિનુ સ્વરૂપ-આ ચાર મુદ્દાઓ અંગે સામાન્ય ખ્યાલ હાય તા અભ્યાસ વખતે પરસ્પર વિાયી કથન વાંચવામાં આવે અગર ખીજા પ્રકારમાં અર્થઘટનની મુશ્કેલી પડે તે વખતે આવા ખ્યાલ ઉપચાગી થાય છે અને સાચા અર્થ સમજીને સમન્વય કરવાનુ' સહેલું બને છે. જૈનમતમાં ભાવની પ્રધાનતા છે, એટલે કે ઉપયાગની પ્રધાનતા છે. મન-વચન-કાયાના ચાગ, અપેક્ષાએ, ગૌણુ છે. એક દૃષ્ટાંત લઈ ને આ વિધાન સમજવાના પ્રયાસ કરીએ. તત્ત્વાર્થસૂત્રમાં અધ્યાય-૬. સૂત્ર ૩માં કથન કરેલ છે કે શુભચૈાગ પુણ્યક્રમના આસવમાં કારણ છે અને અશુભ યાગ પાપકર્મના આસ્રવમાં કારણ છે.” આનું અર્થઘટન કરતાં પ્રથમ દ્રષ્ટિએ મુશ્કેલી પડે તેમ છે; કારણ કે નિશ્ચય દષ્ટિએ જોતાં ચાગના શુભ અને અશુભ એવા ભેદ નથી. ઉપયાગમાં શુભ ઉપચાગ અને અશુભ ઉપયાગ એવા ભેદ છે. શુભ ઉપયાગ સાથેના યાગને ઉપચારથી શુભયાગ કહેવાય છે અને અશુભ ઉપચાગ સાથેના ચાગને ઉપચારથી અશુભયાગ કહેવાય છે. આમ શાસ્ત્રમાં જે કથન છે તે પરમાર્થં કથન છે કે ઉપચાર કથન છે એ જાણી તે પાછળના ભાવને યથાર્થ પ્રકરણ અનુસાર અને પૂર્વાપર સંબંધ અનુસાર ગ્રહણ કરવા તે જૈનમતનાં શાસ્ત્રના અને સમજવાની યથાર્થ રીત છે. ૫૩ જૈનદર્શનમાં સમષ્ટિની ભાવના ઉપર ભાર આપવામાં આવ્યે છે, તેમાંથી અનેકાન્ત દૃષ્ટિના જન્મ થયા છે. આ ભૂમિકામાંથી ભાષા-પ્રધાન સ્યાદ્વાદ અને વિચાર-પ્રધાન નયવાદના વિકાસ થયા છે. વ્યવહારનયની પ્રરૂપણા અને નિશ્ચયનયની પ્રરૂપણા વખતે ખાટી ખતવણી કોઈ વાર થઈ જાય છે તે નયવાદની જાણકારીથી ટાળી શકાય છે અને ચથાર્થ અર્થઘટન કરી શકાય છે, માટે ભાવ–નયનિક્ષેપનુ' સામાન્ય જ્ઞાન આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy