SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગ અને સમકિત જૈન આગમ ગ્રંથમાં સમ્યગુદર્શનને એટલે કે સમકિતને મહિમા ખૂબ ગવાયેલ છે, પરંતુ તેનું સ્વરૂપ જુદા જુદા ગ્રંથોમાં જુદુ જુદુ બતાવવામાં આવેલ છે તેમ પ્રારંભિક અગર પ્રવેશક અભ્યાસીને પ્રથમ દષ્ટિએ જણાય છે અને આ કારણસર તે સામાન્ય રીતે મૂંઝવણ અનુભવે છે. કેઈ ગ્રંથમાં પરમાર્થ દેવ, શાસ્ત્ર અને ગુરુની પ્રતીતિ કઈમાં તત્વાર્થ શ્રદ્ધાન, કેઈમાં સ્વ-પરની શ્રદ્ધા અગર આત્માની શ્રદ્ધા કેઈમાં સાત પ્રકૃતિએને ઉપશમ, ક્ષપશમ અગર ક્ષય કરીને શ્રદ્ધાગુણની નિર્મલ પરિણતિને સમકિતનું લક્ષણ બતાવી, તેના સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલ છે. મૂળ ગ્રંથ વાંચવાનું સામાન્ય જીજ્ઞાસુ માટે કઠિન છે. આજની પરિસ્થિતિમાં આવા વાંચન માટે તેટલે સમય મેળવવો તે પણ કઠિન છે. આવા જીજ્ઞાસુને પ્રારંભિક માર્ગદર્શન મળી રહે અને અભ્યાસ દરમ્યાન દેખાતી વિવિધતાનું સરળતાથી નિરાકરણ કરી શકે એ આ પ્રકરણને આશય છે; એટલે આધ્યાત્મિકદષ્ટિકેણવાળા આગળ વધેલા સાધકે જે પ્રયોગાત્મક અવસ્થામાં છે તેઓને લગતા ઝીણું પ્રશ્નો આમાં આવરી લેવાયા નથી. જેન આગમમાં પદાર્થનિરૂપણ ચાર રીતે કરવામાં આવેલ છે. જીવની કક્ષા, રુરિ આદિ અપેક્ષાએ જુદી જુદી ચાર રીતે તત્ત્વનું નિરૂપણ જુદા જુદા શાસ્ત્રમાં કરેલ છે. આ ચાર અનુગ કહેવાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy