SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ: જીવન્મુકિતનો અરુણોદય ૪૩ તીવ્રતર એવું સંવેદન થાય છે; અને અપાર શાંતિ ને સંવાદનો અનુભવ થાય છે. ...એ શાશ્વત તેજના સ્મરણની અસર કાયમની રહી જાય છે, અને એવો અનુભવ ફરી મેળવવાને મન ઝંખે છે.” સ્વાનુભૂતિની અભિવ્યક્તિ અહીં એ યાદ રહે કે શબ્દ દ્વારા “અનુભવ” વિશે આપણે જે જાણી શકીએ છીએ તે, અનુભવનું આપણા મને દોરેલું ચિત્ર છે. અનુભવ વખતે તો જ્ઞાતા-જ્ઞયનો ભેદ કરનારું મન ‘ઊંધી’ ગયું હોય છે, અને આત્મા જ્ઞયની સાથે તદાકાર હોય છે. પછીથી મન જાગૃત થાય છે ત્યારે, અનુભવ વખતે જે બન્યું એની નોંધ લેવા તે પ્રયાસ કરે છે, જેમાં તે ભાગ્યે જ સફળ થાય જાગૃત થયા પછી ચિત્ત અનુભવની નોંધ લે અને તેનું વર્ણન બીજાઓ સમક્ષ રજૂ કરે તેમાં, ૧. અનુભવ કરનાર વ્યક્તિના, અનુભવની ઘટના પહેલાંના માનસિક ઘડતર; ૨. તેની આજુબાજુની પરિસ્થિતિ, દેશકાળ; ૩. પોતાના અનુભવની વાત એ જેની આગળ વ્યક્ત કરી રહી હોય તે જનસમૂહની માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ભૂમિકા; અને ૪. તે વ્યક્તિની પોતાની અભિવ્યક્તિની આવડત (expres sion-power) – આ બધાંની છાપ એ વર્ણનમાં આવ્યા વિના રહેતી નથી. તેથી મન દ્વારા વાણીમાં અનુભવનું જે ચિત્ર અંકિત કરવામાં આવે છે તે, કોઈ રમ્ય નૈસર્ગિક દૃશ્યના, માત્ર બે-ચાર રેખાઓ વડે દોરેલ “સ્ટેચ’ જેવું પણ માંડ કહી શકાય. ૯. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, “ધનું મિલન, પૃષ્ઠ ૨૬૭ (ભારતીય વિદ્યા ભવન, ચૌપાટી, મુંબઈ-૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy