SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ ૨૫ આવે છે, ક્રમશ: તેનામાં મુમુક્ષા–મોક્ષપ્રાપ્તિની ઝંખના-જાગે છે અને તે તપ-ત્યાગ, વ્રત-નિયમનું આચરણ કરતો થાય છે. એથી પ્રવૃત્તિની સ્કૂલ અશુદ્ધિઓ-હિંસા, ચોરી, જૂઠ, અનાચારાદિ–એના જીવનમાંથી વિદાય લે છે. સત્સમાગમ અને અનુભવી પુરુષોની વાણીનું તથા શાસ્ત્રગ્રંથોનું શ્રવણવાચન-ચિંતન પણ તે કરતો રહે તો, તેના પરિણામે તેને પોતાના ચિત્તમાં રહેલા વિકારો, વાસનાઓ અને ઈર્ષ્યા, અસૂયાદિ મલિન વૃત્તિઓ દેખાય છે, સમજાય છે અને તેને દૂર કરવાની પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રગ્રંથોના શ્રવણ-વાચન-મનન દ્વારા જગતનું અને જાતનું કંઈક અંશે યથાર્થ દર્શન થતાં, અને પૌલિક ભાવોની ક્ષણભંગુરતા અને નિ:સારતાથી એનું ચિત્ત વાસિત થતાં, આર્ત-રૌદ્રધ્યાનની એના પરની પકડ ઢીલી પડે છે. આમ તેના સંવેગ-વૈરાગ્ય ઉત્તરોત્તર પૂર્ણ થતાં એનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ઘસડાતું તો અટકી જાય છે, પણ આર્તધ્યાનમાંથી છુટકારો મેળવવો સહેલો નથી. એ માટે તો મૃતનું પુન: પુન: અવલંબન આવશ્યક બને છે. આર્તધ્યાન પણ ખસે ત્યારે ધર્મધ્યાન જામે; માટે ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત થવા ઇચ્છનારે આર્ત-રૌદ્રધ્યાન નિવારવાની ક્ષમતા મેળવવી જ રહી. અને તે માટે જરૂરી મૃત તો એની પાસે હોવું જ જોઈએ. ચિત્તશુદ્ધિ થયા પછી પણ, જ્યાં સુધી એ ક્ષાયિક ભાવની ન હોય ત્યાં સુધી, નિમિત્ત મળતાં, પૂર્વસંસ્કારવશ ચિત્ત ને ખીલે જાય છે, અને એને ત્યાંથી પાછું વાળી લેવા ફરી શ્રતનું અવલંબન આવશ્યક બને છે. શ્રતનું પુન: પુન: પરિશીલન કે આત્મનિષ્ઠ સંતોનો સમાગમ મુમુક્ષના સંવેગ-વૈરાગ્યને સતેજ રાખી, આર્તધ્યાનની ચુંગાલમાંથી તેને મુક્ત કરી, ધર્મ-શુક્લધ્યાનમાં પ્રવૃત્ત કરે છે. અનુભવીઓના અનુભવનો નિચોડ શ્રુતમાં સંઘરાયેલ છે. પોતે સાધના કરીને, તેમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી, કેવળ કરૂણાથી પ્રેરાઈને, જગતના જીવોને એ માર્ગ દર્શાવવા જ્ઞાનીઓએ જે કહ્યું તેની નોંધસ્વરૂપ શાસ્ત્રગ્રંથો છે. સાધનામાર્ગે સાધક-બાધક તત્ત્વ કયાં છે, બાધક તત્ત્વોને પોતાના જીવનપથમાંથી દૂર કેમ રાખવાં વગેરે અંગેનાં સલાહ-સૂચન અને અનુભવસિદ્ધ ચાવીઓ તેમાં ભરી પડી છે. એટલે આધ્યાત્મિક પથના પ્રવાસીઓને શાસ્ત્રો ‘ગાઇડ બુક’ની ગરજ સારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy