SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન” તંગી, દુ:ખ, પીડા, ચિંતા, ભય માનવીના જીવન સાથે જોડાયેલાં જ છે : પેટભર ખાવાનું મળશે કે કેમ એની ચિતા ભિખારીને રહે છે, તો રાજમહેલમાં વસનારને-રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને ચિંતા રહે છે કે રખે પ્રજા મારી આણનું ઉલ્લંઘન કરે. ઘરબાર છોડીને ચાલી નીકળેલ જોગીજતિને પણ બહુધા કંઈક આકાંક્ષા, કંઈક કામના, પીડતી હોય છે. એટલે કોઈ આર્ષદ્રષ્ટાએ કહ્યું છે કે જેને અસુરક્ષિતતાનો ભય ન સતાવતો હોય કે ન કોઈ ઉણપ સાલતી હોય એવો વિરલો નર ‘લાખમાં લાધે નહિ, કરોડમાં કો'ક'. ચિંતનશીલ માનવીને એ જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે સમગ્ર માનવજાત જેમાં બદ્ધ છે એ કલેશોમાંથી છુટકારો, એ વિરલ મહાનુભાવોને શાથી પ્રાપ્ત થઈ જાય છે? સર્વ ઝેર ગટગટાવી-પચાવી જવાનું સામર્થ્ય અર્પતું એવું તે કયું અમૃત આ નરપુંગવોને લાગ્યું હશે? આનો ટૂંકો ઉત્તર છે : ઇચ્છારહિતતા. કંઈક મેળવવું છે કે “કંઈક થવું છે' – આ તૃણાને એ મહાપુરુષોએ અંતરમાંથી ખોતરી કાઢીને ફેંકી દીધી હોય છે. કશાકની ઇચ્છા-અપેક્ષા જ માનવીના સર્વ દુઃખનું મૂળ છે." એ તૃષ્ણાની જડ ઉખેડી નાખવા કાજે સર્વ કાળના જ્ઞાનીઓએ ૧. નવી નો – શ્રી પંચસૂત્ર, સૂત્ર ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy