SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશનની પાર્શ્વભૂમિકા મારા સદ્ભાગ્યે મારા પૂજ્ય માતુશ્રી પાસેથી મને ધર્મ-સંસ્કાર બાલ્યાવસ્થામાં જ મળ્યાં. એમના લીધે નાનપણથી જ સાધુ-સાધ્વીજીઓના વિશેષ સંપર્કમાં આવવાનું પણ બન્યું. ફલત: હું જૈન પરંપરાના ક્રિયાકાંડોમાંથી પસાર થયો. વયની સાથે સમજણ વધતાં એટલાથી સંતોષ ન થયો. ‘ખરેખર ધર્મ શું?” એ જિજ્ઞાસા જાગી. જીવન વિશે મનમાં ઘણા પ્રશ્નો પણ ઊઠતા; પરંતુ તેનું સમાધાન એ પરિચિત ધર્મગુરુઓ પાસેથી હું ન મેળવી શક્યો. જીવન એમજ પસાર થતું રહ્યું અને યુવાવસ્થા એમ વ્યર્થ વહી ગઈ. પૂર્વના કોઈ પુણ્યોદયે ઈ.સ. ૧૯૮૧માં કલ્યાણમિત્ર પરમ પૂજ્ય શ્રી સત્યનારાયણ ગોયન્કાજીના માર્ગદર્શન હેઠળ દશ દિવસની વિપશ્યના શિબિરમાં જોડાવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને તેથી ઘણો સંતોષ થયો. જે પ્રશ્નોનું સમાધાન વર્ષો સુધી નહોતું થયું તે આ દશ દિવસમાં થઈ ગયું. ત્યારબાદ તરત જ પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીનો દેવલાલીમાં પરિચય થયો. જેમ જેમ પરિચય વધતો ગયો અને તેઓશ્રીના સાનિધ્યમાં આવવાનું થયું તેમ તેમ સાધના બાબત સ્પષ્ટ માર્ગદર્શન મળતું ગયું. પૂજયશ્રી એક સંનિષ્ઠ સાધક છે. પૂજ્યશ્રીના પુસ્તકો પણ તેની પ્રતીતિ કરાવે છે. જિજ્ઞાસુને તેમાંથી સાચું અસંદિગ્ધ માર્ગદર્શન અને જીવનની નવી દૃષ્ટિ મળે છે. વિપશ્યના સાધના બાબત કંઈક વધુ માર્ગદર્શન સમાજને મળે અને આપણા ધાર્મિક વર્તુળોમાં જે ગેરસમજ છે, અથવા ફેલાવાય છે, તે દૂર થાય અને તે સાધના પદ્ધતિ બાબત સાચી વાત સમજાય એવું કંઈક કરવું જોઈએ એમ મને લાગ્યા કરતું હતું. આ વાત મેં પૂજ્યશ્રી સમક્ષ રજૂ કરી. પૂજ્યશ્રીએ, પૂર્વે પ્રકાશિત થયેલા પણ તે વખતે અપ્રાપ્ય બનેલા તેમના પુસ્તક “જૈન મુમુક્ષુઓ અને વિપશ્યના”માં સુધારાવધારા કરી આપી તે પ્રકાશિત કરવાની મને અનુમતિ આપી. એ નવી આવૃત્તિ ‘મુમુક્ષુઓ અને વિપશ્યના' નામે અમારા તરફથી ઈ. સ. ૧૯૮૪માં પ્રકાશિત થઈ. એના વાંચનથી ઘણાં શ્રેયાર્થીઓ વિપશ્યના સાધનામાં જોડાઈ લાભાન્વિત થયાં છે અને થઈ રહ્યાં છે, એનો મને આનંદ છે. પૂજ્યશ્રીનાં પુસ્તકો જુદે જુદે સ્થળેથી પ્રકાશિત થતાં રહ્યાં છે. વળી, તેની કોઈ સંકલિત વિતરણ વ્યવસ્થા પણ નથી. આથી એમના પુસ્તકોનો આખો સેટ મેળવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy