SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આત્મજ્ઞાન અને સાધનાપથ પહોંચતાં પહેલાં વચ્ચે જ ક્યાંક તે પલાંઠી વાળી બેસી પડે કે આડમાર્ગે ફંટાઈ જાય એ સંભાવના ઓછી નથી. અધ્યાત્મ સાથે સિદ્ધિઓને કશો સંબંધ નથી. કિંતુ, આમ જનતા તો સામાન્યત: એમજ સમજતી હોય છે કે યોગમાર્ગ એટલે સિદ્ધિઓ અને ચમત્કારનો માર્ગ. એટલે સાધકને જોતાં સામાન્ય જનને એ જિજ્ઞાસા રહે છે કે આટલાં વર્ષોની સાધનામાં એણે કઈ કઈ સિદ્ધિઓ મેળવી હશે? એને જાણવા મળે કે ‘અમુક મહાત્મા એક દષ્ટિ નાખતાં જ તમારું ભૂત-ભાવિ જાણી લે છે, કે એક શબ્દ પણ કહ્યા વિના તમારું મન વાંચી લે છે, કે એમના હાથમાંથી દિવ્ય વિભૂતિ વાસક્ષેપ / કંકુ ખરે છે, કે એમની સામેની ધૂણીમાંથી તમારા દેખતાં જ તમે માગેલા ભોજનનો થાળ હાજર કરે છે, કે હવામાં હાથ વીંઝી ઇચ્છિત વસ્તુઓ લાવી આપે છે, કે પાણી ઉપર ચાલી શકે છે, કે કલાકો અને દિવસો સુધી જમીનમાં દટાઇ રહી સમાધિ લે છે, કે અમુક દેવ-દેવી એમને હાજરાહજૂર છે', તો એના અંતરમાં એ ‘મહાત્મા’ માટે અનેરો આદર જાગે છે, ભક્તિ ઉમટે છે. બુદ્ધિજીવીઓમાં પણ સાધનાના અતીન્દ્રિય અનુભવોનું અને સિદ્ધિઓનું ભારે આકર્ષણ જોવા મળે છે. પરિણામે, કેટલાય તકસાધુઓ માનવમનની આ નબળાઇનો લાભ ઊઠાવી, ‘લોભી વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે' એ ઉક્તિને ચરિતાર્થ કરતા હોય છે. માટે, અતીન્દ્રિય શક્તિઓ કે સિદ્ધિઓનું પ્રલોભન આપીને કે “ચમત્કારોનું પ્રદર્શન કરીને લોકોમાં પોતા પ્રત્યે આકર્ષણ ઊભું કરવા મથતા દંભી કે અજ્ઞાન ‘ગુરુઓથી શ્રેયાર્થીએ સદા ચેતતા રહેવું જોઈએ. સાચા સંતો પોતાની શક્તિઓનું પ્રદર્શન કરતા નથી. અતીન્દ્રિય શક્તિ કે સિદ્ધિ હોવી એ કંઈ યોગસિદ્ધ પુરુષની સાચી ઓળખાણ નથી; હવામાંથી ઇચ્છિત વસ્તુ લાવી આપવી, ધૂણીમાંથી ભોજનનો તૈયાર થાળ હાજર કરવો, ભાવિ બનાવોની આગાહી કરવી કે દિવસો સુધી મૃત કલેવરની જેમ જમીનમાં દટાઇ રહેવું વગેરે ‘સિદ્ધિઓ’ કંઈ આત્માની ઉન્નત દશાની ઘાતક નથી. આવી સિદ્ધિઓ’ પાછળનું રહસ્ય, બહુધા, એના પ્રદર્શકનો આધ્યાત્મિક વિકાસ નહિ, પણ કોઈ પ્રેતાત્માનો સહયોગ હોય છે. જનસમૂહ તે ચમત્કારોમાં સંબંધિત ‘મહાત્મા’ની દૈવી શક્તિ કે યોગસિદ્ધિનું આરોપણ કરે છે, પરંતુ હકીકતમાં તે વ્યક્તિના આત્મવિકાસ કે યોગશક્તિ સાથે આવી ઘટનાને કશી નિસ્બત નથી હોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy