SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન-નિકા. ૨૫૯ અંતર્મુખતા અને સંયમ/ત્યાગ– કોનો, કેટલો ફાળો? સ્વરૂપજાગૃતિ અને વિરતિ – એ બે વડે મુક્તિપંથ કપાય છે. મુક્તિની દિશામાં આત્મજાગૃતિ પહેલું ચરણ છે, વિરતિ, ત્યાગ એની સાથે ભળે તો મુક્તિપ્રયાણ વેગવાન બને છે. બીજી બાજુ, પૂર્ણવિરતિ/ સર્વવિરતિ અર્થાત્ મુનિજીવન હોય પણ આત્મજાગૃતિનું તત્ત્વ ખૂટતું હોય તો મુક્તિ વેગળી જ રહે છે, જયારે સ્વરૂપ-જાગૃતિ અખંડ હોય અને વિરતિ તરફ માત્ર અંતર જ ઢળેલું હોય એવા આત્માઓ-અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ-ત્રણ જ ભવમાં મુક્તિ મેળવી લે છે. કારણ કે, ઊંઘમાંથી જાગી જતાં જેમ રાતનાં સ્વપ્નાં ટકતાં નથી તેમ આત્માના શુદ્ધ સ્વભાવના ભાન સાથે વિષયતૃષ્ણા અને મલિન વૃત્તિઓ ટકી શકતી નથી અને શુભ વૃત્તિઓ સ્વયં પુષ્ટ થાય છે. સ્વરૂપનો અપરોક્ષ બોધ થઈ જતાં વિષયો પ્રત્યેની અંતરની આસક્તિ છૂટી જાય છે, અહેમમનાં સંકુચિત કુંડાળાઓમાંથી આત્મા મુક્ત થઈ જાય છે અને મોડી વહેલી, પૂર્ણ નહિ તો આંશિક વિરતિ, ત્યાગ, તો એની પાછળ આવે જ છે. કુર્માપુત્ર, રાજર્ષિ ભરત વગેરેએ આ બેના આધારે જ ગૃહસ્થપણામાં જ આતમગઢ સર કરી લીધેલો. ગૃહત્યાગ વિના, આત્મજાગૃતિના બળે મુક્તિ પયંતનો પંથ કપાય છે પણ, આત્મજાગૃતિ વિના – દેહથી ભિન્ન સ્વની પ્રતીતિ વિના – સર્વવિરતિના બાહ્યાચારનું ઉચ્ચ કક્ષાનું પાલન પણ નવચૈવેયકનાં – અર્થાત ઉચ્ચતર સ્વર્ગલોકનાં – ભોગસુખો આપી અટકી જાય છે, એ ક્યારેય મુક્તિ પર્યત લઈ જઈ શકતું નથી. આત્મજાગૃતિ હોય તો સંસારની ‘કાજળ કોટડી'માં વસીનેય સાવ નિર્લેપ રહી શકાય છે. ચક્રવર્તીપદ, તથા એની સાથે સંકળાયેલાં વિપુલ ઐશ્વર્ય, અઢળક ભોગવિલાસ અને બેસુમાર આરંભ-સમારંભ ચાલુ હોવા છતાં દુર્ગતિના બદલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ચક્રવર્તી ભરતને શાના બળે થઈ? બાહ્યજીવનના દીવાનખાનામાં જ એમને જોવાથી આ કોયડો ઉકેલી ન શકાય, પણ એમના અંતરખંડમાં ડોકિયું કરવાથી આનો ઉત્તર મળી રહે છે. પ્રબળ પ્રારબ્ધ કર્મવશાત્ એ સર્વવિરતિના ધોરી માર્ગે પગ નહોતા માંડી શક્યા પણ એમના અંતરમાં અખંડ આત્માનુસંધાનની જયોત સદા પ્રજવલિત રહી. ‘આ દેહ નથી, કર્મકૃત મારું વ્યક્તિત્વ અને એની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy