SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આત્મજ્ઞાન અને સાધનાપથ મુક્તિની પ્રાપ્તિ અર્થે શું સંન્યાસ દીક્ષા અનિવાર્ય છે? કોઈ પ્રબુદ્ધ ગૃહસ્થ સાધક ગૃહસ્થાશ્રમની અનેકવિધ જવાબદારીઓ નિભાવવાની સાથોસાથ મુક્તિમાર્ગે પણ પ્રગતિ કરી શકે તેની ના નથી, કિંતુ, એમ કરવું સૌ માટે શક્ય નથી. ગૃહસ્થાશ્રમીએ અનેક વિક્ષેપો, વિનો, અવરોધો, અડચણોની વચ્ચે રહીને સાધના કરવાની રહે. એટલે મુમુક્ષની ઘણી શક્તિ એ બધાં પરિબળો સામે ઝઝુમવામાં ખર્ચાઈ જાય છે અને સાધના માટે તેની પાસે અલ્પ સમયશક્તિ જ બચે છે. આથી, ઉત્કટ મુમુક્ષાવાળાને હિન્દુ, જૈન, બૌદ્ધ આદિ ધાર્મિક પરંપરાઓ દીક્ષિત જીવન અંગીકાર કરીને સંપૂર્ણ સાધનામય જીવન વિતાવવાનો અનુરોધ કરે છે. કોઈ શારીરિક વ્યાધિની ચિકિત્સાર્થે શસ્ત્રક્રિયા ‘ઓપરેશન’ કરાવવું આવશ્યક હોય ત્યારે કે મોટી બીમારી વખતે, દરદીને પૂરી અને તાત્કાલિક સારવાર મળી શકે તે માટે જયાં ઉપચારનાં બધાં સાધન-સગવડ અને વાતાવરણ ઉપલબ્ધ હોય એવી કોઈ હૉસ્પિટલમાં નસિંગ હોમમાં દાખલ કરાય છે; તેમ આત્મોન્નતિ માટે પૂર્ણ સમયનું સાધનામય જીવન ગાળવા ઇચ્છતા મુમુક્ષુ સાધક માટે ગૃહત્યાગ સહાયક છે. કિંતુ, ત્યાગીનો વેશ ધારણ કરીને, ગૃહસ્થ જીવનની જવાબદારીઓથી મુક્ત થયેલો શ્રેયાર્થી કર્મકાંડ અને બાહ્ય તપ-ત્યાગમાં જ સાધનાની ઇતિશ્રી માની લે તો આત્મોત્થાનનું પ્રયોજન સરતું નથી. આત્મોન્નતિના અર્થીએ તો સતત અંતર્મુખ અને સતર્ક રહી, અપ્રમત્તભાવે પોતાની ચિત્તવૃત્તિઓનું સંશોધન કરતા રહેવું પડે અને અહંમમના તાણાવાણા ઉકેલવા સદા જાગૃત રહેવું પડે. ચિત્તની બહિર્મુખ દોડ સંકેલી લઈને અંતર્મુખ થયા વિના, સંન્યાસ દીક્ષા સાર્થક થતાં નથી. અંતર્મુખ જીવન જીવવા માટે જરૂરી સહાયક વાતાવરણ મેળવવા ગૃહત્યાગ છે. સ્થળ ત્યાગ કર્યો હોવા છતાં અને ધાર્મિક' ગણાતી પ્રવૃત્તિમાંસાંપ્રદાયિક કર્મકાંડ, શાસ્ત્રોનું પઠન-પાઠન, ઉપદેશ, આત્માની અને મોક્ષની ચર્ચા ઇત્યાદિમાં–સમય પસાર કરાતો હોવા છતાં, જો જીવનનો આંતરપ્રવાહ ન બદલાય, ચિત્તવૃત્તિ બહિર્મુખ જ રહે અને અંતરમાં અહ-મમની વૃત્તિઓનું તાંડવ પૂર્વવત ચાલુ રહે, તો ઘરબારનો ત્યાગ અને વૈરાગીનો વેશ વિફળ જાય છે એટલું જ નહિ, આત્મવંચના દ્વારા તે વધુ અનર્થકર પણ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy