SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન-નિકા | ૨૪૩ બે વર્ષ પૂર્વે-વધુ ચોકસાઈથી કહું તો ૧૯૮૬ના ઑક્ટોબરમાં સાન રફેલ (કેલિફોર્નિયા)ની ડોમિનિકન કૉલેજમાં એક વ્યાખ્યાનમાળા દરમ્યાન આપેલાં પ્રવચનોમાં, ડૉ. ઍલ્પર્ટે પોતે કરેલી સાધનાનો અછડતો ઉલ્લેખ કરતાં કહેલું કે, આપણો જ્ઞાનોપયોગ | awareness એ સ્પૉટલાઇટ જેવો છે. એનું તેજકિરણ ઘડીકમાં આ વસ્તુ પર પડે ને ઘડીકમાં બીજી વસ્તુ પર જઈને ઠરે. તમે નિરાંતે બેઠા હો ને આસપાસનો અવાજ સાંભળતા હો ત્યાં જ તમારું ધ્યાન શરીરમાં ક્યાંક થતી કોઈક પીડા સંવેદના તરફ જાય છે અને બીજી જ ક્ષણે સામેથી પસાર થતી કોઈ વ્યક્તિ તરફ, કોઈ ક્ષણે કોઈ વિચાર પર – અલપ-ઝલપ સ્મૃતિ પર કે કોઈ ભાવિ યોજના પર, ને ક્ષણવાર પછી કોઈ અન્ય બાબત પર. આમ આપણો જ્ઞાનોપયોગ પળભર પણ એક ઠેકાણે ઠરીઠામ રહેતો નથી. કેટલીક સાધનાપદ્ધતિઓમાં જ્ઞાનોપયોગના આ તેજકિરણને એક બિંદુ પર કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવામાં આવે છે. એ માટે ગમે તે વસ્તુ – દીવાની જ્યોત, શબ્દ, ધ્વનિ વગેરેનું આલંબન લેવામાં આવે છે. એક વર્ષ પહેલાં – ગયા ઉનાળામાં બે મહિના હું રંગુન(બર્મા)માં એક ધ્યાનકેન્દ્રમાં સાધના માટે રહેલો. ત્યાં થેરવાદી બૌદ્ધ પ્રક્રિયા વિપશ્યનાની સાધના કરાવાતી હતી. તે વખતે ત્યાં આઠસો બર્મી સાધકો હતા અને અમે પાંચ વિદેશીઓ. હું મારા મિત્ર જોસેફ ગોલ્ડસ્ટિન અને શેરીન સાથે બેઠો હતો. સાધના સવારે ત્રણથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતી – અઠવાડિયાના સાત દિવસ. હું ત્યાં બે મહિના રહ્યો હતો. ચિત્તની એકાગ્રતા અર્થે અહીં પરંપરાગત શ્વાસનું અવલંબન લેવામાં આવે છે. શ્વાસોચ્છવાસનો આખો માર્ગ તો ઘણો મોટો વિસ્તાર છે, એટલે તેમાંથી એક નાનું સ્થાન પસંદ કરીને ચિત્તને ત્યાં કેન્દ્રિત કરવાનું હોય છે. પરંપરાગત એવાં બે સ્થાન, બર્મામાં સ્વીકારાયાં છે. એક : નાકનો અગ્રભાગ | નસકોરાની અંદરની ધાર કે નાકની નીચે, ઉપલા હોઠનો મધ્યભાગ – શ્વાસ લેતાં-મૂકતાં જયાં હવાનો સ્પર્શ અનુભવાય છે; શ્વાસ લેતાં ઠંડો, ને મૂકતાં સહેજ ઉગ. બીજો વિકલ્પ છે : શ્વાસોચ્છવાસ દરમ્યાન પેટના સ્નાયુ ઊંચો-નીચો થાય છે તે સ્નાયુનો એક નાનો ભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy