________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૨૧૫ નહિ પણ, ચિંતન-મનન-પરિશીલન કર્યું હોય તેને સ્વમત-પક્ષનો ઉપર્યુક્ત આંધળો મોહ રહેતો જ નથી. શ્રુતની સાથે ચિંતન-મનન અને અનુભૂતિનું તત્ત્વ ભળતાં દષ્ટિ તટસ્થ અને સારગ્રાહી બને છે. આપણા પૂર્વ મહર્ષિઓએ તો સ્પષ્ટ જ કહ્યું છે કે, જેની દૃષ્ટિ સ્વપક્ષના મોહથી અર્થાત્ દષ્ટિરાગથી આવૃત્ત હોય તેવા ‘ગુરુઓ અધૂરા ને અજ્ઞાન જ જાણવા.
“જાતિ લિંગ કે પક્ષમેં જિન કું હું દૃઢ રાગ; મોહ જાલ મેં સો પર ન લહે શિવસુખ ભાગ.”"
સાંપ્રદાયિક ઝનૂનને બહેકાવનારા એ અધૂરા અને અજ્ઞાન “ધર્મના રખેવાળો'ના રવાડે ચડીને સાંપ્રદાયિકતાના વમળમાં અટવાઇ જઈ, સમભાવનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપતી આવી સરળ, નિર્દોષ અને
૪૦. (i) મારો ગાને મનાવ પુસ્તદ્રાક્ ટર્શન: द्वितीये न भवत्येव, चिंतायोगात्कदाचन।
– અધ્યાત્મપનિષદ્ જ્ઞાનયોગ, શ્લોક ૬૮.
(ii) न भवति असौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि। ટીકા : કો = ટુર્શનો વગેમમઢીય ર્શન મનમીલીયમ शोभनमित्येवरूपः।
થોડશક, ધો. ૧૧, શ્લોક ૧૦. ૪૧. ઉપા. યશોવિજ્યજી, સમાધિશતક, દુહો ૭૫. સરખાવો :
मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु। मदीय आगमः सारः, परकीयास्त्वसारकाः ।। तात्त्विका वयमेवान्ये भ्रान्ता सर्वेप्यतात्त्विकाः ।
इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ।। અર્થ –“દષ્ટિરાગથી મોહિત જે લોકો એમ માનતા કહેતા ફરે છે કે અમારું જ દર્શન શ્રેષ્ઠ છે, અન્ય દર્શનો તો પાખંડ છે, અમારા શાસ્ત્રગ્રંથો જ તત્ત્વજ્ઞાનયુક્ત છે,” બીજાના નિ:સાર છે; અમે જ તત્ત્વજ્ઞ છીએ, બીજા બધા ભ્રાન્ત છે? – એવા મત્સરી માનવીઓને અને તત્ત્વને હજારો ગાઉનું છેટું છે.”
- યોગસાર, દ્રિતીય પ્રસ્તાવ, શ્લોક ૯-૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org