SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૭ – ક્ષાયિક માર્ગ સામાન્યત: માનવી, મોહવશ, એમ માનીને જીવતો હોય છે કે “એનાં સુખદુ:ખ બાહ્ય પરિસ્થિતિ પર અવલંબે છે. બાહ્ય પરિસ્થિતિ બદલીને, પોતાને અનુકૂળ કરીને, તે સુખ મેળવી શકશે’ – આ માન્યતાની ધરી પર – કર્તા-ભોક્તા ભાવની ધરી પર – એનાં વિચાર-વર્તનનું ચક્ર ઘૂમતું રહે છે. એટલે પ્રતિકૂળને ખાળવા માટે તત્કાળપૂરતું વિકારોનું ઉપશમન કરી લઈને તે સંતોષ માને છે, એનાં મૂળ સુધી પહોંચવા પ્રયત્ન નથી કરતો. ચિત્તમાં ઊભરાતા વિકલ્પોને ત્રાટક, જપ આદિ પ્રક્રિયાઓ દ્વારા શમાવી દઈ, સમાધિમાં લઈ જતા અન્ય ધ્યાનમાર્ગો અને શાંતસ્વીકારના ભાવને કેન્દ્રમાં રાખતા સાધનામાર્ગની વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તે આ : પ્રથમ કોટિમાં ચિત્તને શાંત કરીને શાંતિનો સુખનો અનુભવ કરવાનું લક્ષ્ય રહે છે અર્થાત્ ત્યાં કર્તા-ભોક્તાભાવ રહે છે. ચિત્તને શાંત કરવા તેને ધાર્મિક અનુષ્ઠાન કર્મકાંડ, શાસ્ત્રાધ્યયન કે જપ આદિમાં રોકી રાખીને, અર્થાત્ ચિત્તને અન્ય માર્ગે વાળી દઈને, ચિત્તગત આકાંક્ષા અપેક્ષા – વાસના- વિકારનું ઉપશમન કરવામાં આવે છે. એનાથી તત્કાળપુરતું ચિત્ત શાંત થયેલું અનુભવાય છે, કિંતુ, ડહોળા પાણીથી ભરેલા માટલામાં ફટકડી નાખવાથી કચરો માટલાના તળિયે જઈને બેસે ને ઉપરનું પાણી સ્વચ્છ બની ગયેલું દેખાય એના જેવું છે આ. વિકારો ચિત્તની સપાટી પરથી ખસીને ચિત્તના તળિયે જઈને બેસે છે, તે નિર્મળ થતા નથી. વળી, ચિત્તને શાંત કરીને સુખનો અનુભવ કરવાનું લક્ષ્ય રહ્યું હોવાથી, કર્તા-ભોક્તાભાવના ડેરા-તંબુ પણ હટતા નથી. આથી, અસાવધાન પળોમાં, ચિત્તના તળિયે પડેલા વિકારો ઉપર ધસી આવે છે ને સાધકને તેના પ્રવાહમાં તાણી જાય છે. એનાથી ઊલટું, ‘શાંત-સ્વીકાર પ્રધાન સાધનામાં સાધકનું લક્ષ્ય દુ:ખમુક્તિનું કે સુખપ્રાપ્તિનું નહિ પણ ચિત્તગત વિકારોનું ઉમૂલન કરવાનું રહેતું હોવાથી, એની સાધના પ્રત્યેક વિકારના મૂળ સુધી પહોંચીને તેને મૂળમાંથી ઊખેડતી ઊખેડતી આગળ વધે છે. આ કામ બે રીતે થાય છે : ૧. અનુકૂળને વળગી રહેવાની અને પ્રતિકુળને દૂર હડસેલવાની અનંત જન્મોથી પોષાતી આવેલી વૃત્તિના બદલે, પ્રાપ્ત સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy