SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને જે ઉપયોગી અને સારભૂત જણાય તે સ્વીકારી લઈ બાકીનાની ઉપેક્ષા કરે. એ જ પ્રાર્થના. શકય સર્વ કાળજી રાખવા છતાં, મારાં અજ્ઞાન, પ્રમાદ કે અભિવ્યક્તિની અણઆવડત વગેરે કારણે આમાં શ્રી વીતરાગની આજ્ઞાથી વિપરીત જે કંઈ લખાયું હોય તે માટે હું મિશ્રાદુષ્કત ચાહું છું, અને ઉમેદ રાખું છું કે ગુણગ્રાહી અનુભવી બહુશ્રુતોની સહાનુભૂતિ અને સહયોગથી આ પુસ્તકની ભાવિ આવૃત્તિ વધુ સમૃદ્ધ અને ક્ષતિમુક્ત બનાવી શકાશે. અંતે, ઘણા વખતથી મારા અંતરમાં ચૂંટાતા આ વિચારો અક્ષરાંકિત થઈ આજે એક સુરેખ પુસ્તકરૂપે વાચકોના હાથમાં પહોંચે છે એની પાછળ જે એક નાનકડો ઇતિહાસ છે તેની પણ થોડી વાત કરું. આરાધનાનું-જ્ઞાન અને ક્રિયાનું – રહસ્ય પામવા મારા મનમાં ચાલી રહેલા તીવ્ર મનોમંથનના ઉકેલના કંઇક સ્પષ્ટ સંકેતો, વિક્રમ સંવત ૨૦૧૭-૧૮માં લુણાવા (રાજસ્થાન)માં વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, શાંતમૂર્તિ ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી મહારાજના સાંનિધ્યમાં વસવાટ દરમ્યાન, એક દિવસે સાંજના પ્રતિક્રમણ પછી, મને અચાનક પ્રાપ્ત થયા. લુણાવાનો ઉપાશ્રય ગામના છેવાડે છે, સામે જ દેરાસર છે. ત્યાં ગામનો છેડો આવી જતો હોવાથી શાંત અને નૈસર્ગિક વાતાવરણ સહજ ઉપલબ્ધ છે. મારા આસને બેસતાં જોડેની બારીમાંથી દેરાસર ઉપર દષ્ટિ અનાયાસે પડતી. ઘણી વાર હું પ્રતિક્રમણ પછી ત્યાંથી ભગવાનને મૂકપણે પ્રાર્થતો કે આરાધનાનો–સાચી આરાધનાનો-બોધ મને થાય અને એ માર્ગે ચાલવાનું બળ મળે. એ વખતે કોઈક વાર દય ભરાઈ જતું અને આંખો ભીની થઈ જતી, પણ કંઈ પ્રકાશ મળતો જણાતો નહોતો. એક દિવસ પ્રતિક્રમણ પછી હું આસને આવીને બેઠો, ને કંઈક સ્કૂરણા થઈ. તે ટપકાવી લેવા મેં પૈડ હાથમાં લીધું ત્યારે તો માત્ર બે-ચાર વાક્ય જ ટપકાવવાની ધારણા હતી. પણ હું નોધ કરતો ગયો તેમ તેમ એક પછી એક વિચારો ક્રૂરતા રહ્યા. એક તો, અંધારું હતું એટલે કાગળ ઉપર અટકળે જ અક્ષરો પાડવાના હતા; અને બીજાં, ચિત્તમાં વિચારોનો તો ધોધ ઊભરાતો હતો તેથી સ્કૂરણાના વેગ સાથે હાથની ગતિનો તાલ રહી શકતો નહોતો. લઘુલિપિની આવશ્યકતા આ વખતે મને જણાઈ, પણ તે તો આવડતી નહોતી; એટલે ભાંગ્યાંતૂટયાં વાક્યોમાં ફુરણાના મુખ્ય મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy