SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૧ કાળના જ્ઞાની પુરુષો મુમુક્ષુને આત્મસ્વરૂપનું અવલંબન લેવા અનુરોધ કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આ વાતનો નિર્દેશ આપતાં ‘યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથમાં કહ્યું છે કે “પ્રારંભિક કક્ષામાં જુદા જુદા દર્શનના અનુયાયીઓ ભલે ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરતા હોય, પણ અંતે તો સર્વ મુમુક્ષુઓ બાહ્ય વિષયોથી અને ચિત્તમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પથી પણ ખસીને સ્વભાવનું અવલંબન લેવારૂપ એક જ માર્ગે ગતિ કરે છે.”” "L મુનિજીવનમાં પણ આ જ મહત્ત્વની સાધના છે; એ તથ્ય પ્રત્યે લક્ષ ખેંચતાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “ચિત્તને આત્મામાં એકાગ્રપણે સ્થાપીને અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો એ ઉત્તમ સાધન છે. સાધુ પાસેથી માત્ર બહિરંગ સાધનાની નહિ, પણ આવી અંતરંગ સાધનાની અપેક્ષા રખાઈ છે; કારણ, આ અધ્યાત્મ-ધ્યાનયોગ બધાં જ શાસ્ત્રોનું નવનીત છે. તે પરમ સંવરરૂપ છે અને એ જેમ જેમ આત્મસાત્ થાય તેમ તેમ સાધક સામ્યસુખનો વધુ ને વધુ અનુભવ કરે છે; આનંદ વૃદ્ધિગત થતાં તે અહીં જ મુક્તિસુખ ચાખે ૫ છે.” ४. एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् । યોગદૃષ્ટિસમુચ્ચય, શ્લોક, ૧૨૮. ५. अन्तरंगयत्न एवं साधूनामपेक्षितो... न तु बहिरंग एवेति दृढयन्नाह जत्तो अ अंतरंगो अज्झप्पज्झाणजोगओ जुत्तो । जं एसो च्चिय सारो सयलंमि वि जोगसत्थंमि ।। यद् यस्मादेष यत्नश्चान्तरंगोऽध्यात्मध्यानयोगत आत्मन्येवैकाग्रचित्तव्यापाराद् विद्यमानक्लिष्टचित्तनिरोधलक्षणोपेक्षासंयमाद् युक्तः । एवाध्यात्मध्यानयोग एव सकलेऽपि योगशास्त्रे सारः । एअंमि परिणमंते आणंदस्सावि होइ परिवुड्ढी । एवं चिय साहूणं जीवन्मुत्ततणं जुत्तं ॥ ઉપા. યશોવિજ્યજી, ઉપદેશરહસ્ય, શ્લોક ૧૯૦-૧૯૧. टीका Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy