SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આત્મજ્ઞાન અને સાધનાપથ યશોવિજયજી મહારાજે સંક્ષેપમાં પણ ગુજરાતી’માં-આ વાત કરતાં ગાયું છે કે, અસંદિગ્ધ શબ્દોમાં – શુદ્ધ વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યું જાય; મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય. પણ મોટે ભાગે આજની આપણી ધર્મક્રિયાઓ ચંચળ ચિત્તે કે શૂન્યમનસ્કપણે જ થતી રહે છે, છતાં આપણે ભ્રમમાં રહીએ છીએ કે આપણે મુક્તિ તરફ જઈ રહ્યા છીએ. પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિ ધર્મક્રિયાઓ નિજ ભાન જગાડીને સ્વમાં પાછા ફરવા માટેની કેડીઓ છે પણ આપણે એ બધું ઔપચારિક રીતે કરતા રહીએ છીએ; એના દ્વારા કયાંક પહોંચવાનું છે એ ભૂલીને એમાં જ અટવાતા ફરીએ છીએ. ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પને શમાવવા માટે સભાન પ્રયત્ન કરવાનું આપણને સૂઝતું નથી. સંકલ્પ-વિકલ્પ શમાવવાનું લક્ષ્ય પણ ન બંધાયું હોય તો એ માટેનો પ્રયત્ન તો થાય જ શાનો? Jain Education International ઢાળ ૧૧, ગાથા ૪. આપણે જોઈ ચૂકયા છીએ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને સમત્વના વિકાસ અર્થે ધ્યાનાભ્યાસ જરૂરી છે. માટે, મુમુક્ષુએ બાહ્ય તપ-ત્યાગ-વ્રતનિયમ અને કર્મકાંડમાં ઇતિશ્રી ન માની લેતાં, પોતાની ધર્મારાધનામાં ધ્યાનાભ્યાસને પણ સ્થાન આપવું જોઈએ. ધ્યાનાભ્યાસમાં પ્રારંભનું લક્ષ્ય એ હોય છે કે ચિત્તને એક વિષય પર કેન્દ્રિત રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરવી; અર્થાત્ ધ્યાનાર્થીએ પ્રથમ તો ચિત્તને એકાગ્ર કરવાનો મહાવરો પાડવો જોઈએ. યોગની પરિભાષામાં એને ધારણાનો અભ્યાસ કહે છે. ચિત્ર, મૂર્તિ, ધ્વનિ કે કોઈ વિચાર કે ભાવનું અવલંબન લઈ, મનમાં અન્ય આડાઅવળા વિચારો કે સંકલ્પ-વિકલ્પ ઊઠવા ન દેતાં, એને એક જ વિષયમાં પરોવવું એનું નામ ધારણા. એ અભ્યાસથી ક્રમશ: એકાગ્રતા સધાતાં, ચિત્તની ચંચળતા ઘટે, અને ચિત્તવૃત્તિ સહજ રીતે ધ્યેય તરફ પ્રવાહિત રહે ત્યારે ધ્યાન લાગ્યું ગણાય. ધ્યેય સિવાયના બધા વિચારો એ અવસ્થામાં ચિત્તમાંથી હટી ગયા હોય છે અને ધ્યેય જ ચિત્તમાં રમી રહ્યું હોય છે. કિંતુ, ધ્યેય અને ધ્યાતાનો ભેદ અહીં રહે છે, જ્યારે એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy