SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તસ્મૈર્યની કેડીઓ આપણા આત્મનિષ્ઠ પૂર્વજોએ શુદ્ધ સ્વરૂપના અનુસંધાનને અને ધ્યાનાભ્યાસને સર્વોત્કૃષ્ટ તપ ગણ્યું છે; કારણ કે એનાથી એક ક્ષણમાં જે અઢળક કર્મનિર્જરા થઈ શકે છે તેની સરખામણીમાં ઉપવાસ કે માસખમણ આદિ એકલા બાહ્ય તપ દ્વારા થતી કર્મનિર્જરા કંઈ વિસાતમાં નથી. મુક્તિનું દ્રાર આત્મજ્ઞાન છે, અને તે ધ્યાનસાધ્ય છે. કિંતુ, આ વાત આપણા સંઘમાં એટલી હદે વિસારે પડી ગઈ છે કે જ્ઞાનયોગ અર્થાત્ સ્વરૂપજાગૃતિ અને ધ્યાનસાધના પ્રત્યે આજે ભાગ્યે જ લક્ષ અપાય છે. પૂર્વે જૈન સાધનામાં ધ્યાન અગ્રસ્થાને રહ્યું છે, પણ એ પરંપરા લુપ્ત થઈ છે; આજે એ સૌથી વધુ ઉપેક્ષિત અંગ બન્યું છે. આજે ત્યાગી વર્ગનાં આરાધક ભાવવાળાં સાધકોને પોતાની સાધનામાં રહેતી તપની, શાસ્ત્રાધ્યયનની કે ક્રિયાકાંડની ઊણપ ખટકે છે-શાસ્ત્રાધ્યયન ઓછું થયું હોય તો એને કંઈક ન્યૂનતા લાગે છે, ઉપવાસાદિ બાહ્ય તપ ન થઈ શકતું હોય તો એ ખેદ અનુભવે છે, ક્રિયામાં રહેતી ઊણપ કે સ્ખલના એને ખૂંચે છે; પરંતુ વર્ષોનો દીક્ષાપર્યાય થવા છતાં ધ્યાનમાં પ્રવેશ કે પ્રગતિ ન થઈ શકયાં એનો રંજ આરાધક રુચિવાળાં એ સાધુ-સાધ્વીઓમાંયે બહુધા દેખાતો નથી! ધર્મક્રિયાઓ ઉપયોગશૂન્યપણે-ભટકતા ચિત્તે જ-થતી રહે તો એ ધર્મક્રિયા મોક્ષસાધક બનતી નથી એ સાવધાની આપણા પૂર્વાચાર્યોએ શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર ઉચ્ચારી છે. પ્રતિક્રમણ-હેતુ-ગભિતસજઝાયમાં ઉપા Jain Education International ૧૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy