SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ પણ કયા સંપ્રદાયને અનુસરે તો મુક્તિ મળે? આ ગૂંચનો ઉકેલ સૂચવતાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્પષ્ટ ભાષામાં અભિપ્રાય ઉચ્ચાર્યો છે કે બાહ્ય લિંગ-વેપ-અનુષ્ઠાન જુદાં હોય, એટલું જ નહિ, સમૂળગા મત-પંથ પણ ભલે જુદા હોય, પણ જેમનો આંતરિક ભાવ વિશુદ્ધ હોય-રાગદ્વેષમોહ-અવિદ્યા રહિત હોય-તે સૌ મોક્ષના અધિકારી છે : આ વાત કદાગ્રહ મૂકીને શાણા માણસે વિચારવી ઘટે.” ૨૯ આ વિવેકના પ્રકાશમાં મધ્યસ્થ અને તત્ત્વગ્રાહી બુદ્ધિને એ સ્પષ્ટ દેખાઈ જાય છે કે “અમુક જ અનુષ્ઠાન અને તે પણ અમુક જ રીતે કે અમુક જ દિવસે થાય તો જ મુક્તિ મળે, અન્યથા નહિ”—એવો આગ્રહ મુકિતમાર્ગમાં અસ્થાને છે. વીતરાગની આજ્ઞા પ્રત્યેની નિષ્ઠાની નહિ પણ વ્યકિતના પોતાના અહં-મમની જ એ નીપજ હોય છે. એ આગ્રહમાં વ્યક્તિના ધર્મપ્રેમ કે આત્મવિકાસ કરતાં, તેની મતાંધતા-અજ્ઞાન અને દષ્ટિરાગ–જ વધુ છતાં થાય છે. ભાવવિશુદ્ધિનો પ્રકર્ષ થતાં ગૃહસ્થવાસમાં કે અન્ય લિંગમાં પણ કૈવલ્ય અને મુક્તિની વાત જૈન દર્શન માન્ય રાખે છે. તો કોઈ નિશ્ચિત અનુષ્ઠાન અમુક નિશ્ચિત દિવસે થાય તો જ મુક્તિ મળે એ વાત તો ત્યાં ટકે જ શી રીતે? “બાહ્ય અનુષ્ઠાન જુદાં હોય, જુદે દિવસે કે જુદી રીતે થતાં હોય કે પ્રમાણમાં અલ્પ હોય તો આંતર શુદ્ધિ થઈ જ ન શકે’ એ વાત જૈન દર્શનને માન્ય નથી. મહત્ત્વ આંતર વિશુદ્ધિનું અને તેને સહાયક અનુષ્ઠાનો તથા જીવનચર્યાનું છે, તે વિનાના બાહ્ય ક્રિયાકલાપની પૂર્ણતાનું નહિ. – ધર્મના આંતર-બાહ્ય અંશનો વિવેક સાધનાના બે અંશ છે : એક આંતરિક અને બીજો બાહ્ય. ભાવવિશુદ્ધિ ૨૯. (i) માવજત તો મોક્ષો, મિસ્ટિોપ ધ્રુવ / कदाग्रहं विमुच्यैतद्, भावनीयं मनस्विना॥ – અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૮૮. (ii) લિંગ વેષ કિરિયા ; સબ હિ, દેખે લોક તમાસી હો; ચિમૂરતિ ચેતનગુન ચિનો, સાચો સોઉ સંન્યાસી હો. – ઉપા. યશોવિજયજી, ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પદ ૩૯, પૃષ્ઠ ૧૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy