SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ કરવા એક મર્મવેધી કટાક્ષ કરતાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે – કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં; મૂઢ એ દોય, તરસ ભેદ જાણે નહીં; જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. માર્ગ ઉપર ગતિ કરવા માટે જમણા અને ડાબા પગને આપણે સમાન મહત્ત્વ આપીએ છીએ, તેમ મોક્ષમાર્ગે નિશ્ચય અને વ્યવહારને સમાન મહત્ત્વ છે. ડાબો કે જમણો એ બેમાંથી કોઈ પ્રત્યે પક્ષપાત રાખ્યા વિના, માર્ગ ઉપર એક પગ બરાબર ટેકવીને બીજા પગને ઊંચો કરી આગળ મૂકીએ છીએ. એક વખત જમણા પગને જમીન પર ટેકવીને ડાબાને ઊંચો કરી આગળ મૂકીએ છીએ તો એ પછીનું પગલું માંડવા ડાબા પગને જમીન ઉપર ટેકવીને જમણાને આગળ લઈ જવો પડે છે, તે જ રીતે મુક્તિપ્રમાણમાં વ્યવહારનો આધાર લઈને નિશ્ચય ગતિ કરી શકે છે, અને વ્યવહારની ગતિને પ્રગતિમાં ફેરવવા નિશ્ચયનો ટેકો લેવો પડે છે. એક પગે કદાચ થોડી વાર ઊભા રહી શકાશે, પણ પ્રગતિ માટે તો બંને કદમ માંડવાં પડશે. કિયા' કે “વ્યવહારનું હાર્દ નિશ્ચય નવિ પામી શકે છે, પાલે નવિ વ્યવહાર; પુણ્ય રહિત જે એહવા જી, તેહને કવણ આધાર? હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએ જી, જિહાં બહુ ક્રિયાબાપ.“ વ્યવહારનું મહત્ત્વ દર્શાવતાં જ્ઞાનીઓનાં આવાં વેણ સાંભળીને વ્યવહારના પક્ષકારને હરખ થવો સ્વાભાવિક છે; કિંતુ, સાધનામાં ક્રિયાનું મહત્ત્વ બતાવતાં આ વચનોમાં જે ક્રિયા'નું સૂચન છે તે ‘કિયા' કઈ? એ વિશે પણ સાધકના ચિત્તમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. ૨૭. ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૬, ગાથા ૨૪. ૨૮. ઉપાધ્યાય યશોવિજયજી, સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૫, ગાથા ૫૮-૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy