SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ ભાગ્ય તો કોઈકનું જ હોય. દેખીતી એ અનાયાસ પ્રાપ્તિની પાછળ પણ અનેક જન્મનાં પુરુષાર્થ અને સાધના રહેલાં હોય છે. માટે, આ જીવનમાં જ અવિનાશીને ‘નજરે નીરખવા કટિબદ્ધ થઈ, મુમુક્ષુએ એ લક્ષ્યની દિશામાં નિત્ય ગતિ કરતાં રહેવું ઘટે. અનાવશ્યક બાબતોને અળગી કરીને, પોતાના માર્ગથી જરાયે આડાઅવળા થયા વિના, તીરની જેમ, જે નિરંતર લક્ષ્યની દિશામાં આગળ વધે છે, તે વર્તમાન જીવનમાં જ આત્મજ્ઞાનનો પ્રકાશ પામી શકે છે. આ વાત કરતાં ચિદાનંદજી મહારાજે કહ્યું છે કે – અહનિશ ધ્યાન-અભ્યાસથી, મન-થિરતા જો હોય; તો અનુભવ લવ આજ કૂન, પાવે વિરલા કોય. ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે બે અતિમહત્ત્વનાં અંગો છે સમત્વની કેળવણી તથા ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા. એટલે તે અંગે ઉત્તરાર્ધમાં આપણે વિગતે વિચારણા કરીશું. ૧૯. ચિદાનંદજી મહારાજ, સ્વરોદયજ્ઞાન, દુહો પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy