SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૦૯ અનુરૂપ જ રહે છે. એનાથી ઉપર ઊઠવું હોય તો જગતનું દર્શન ઉચ્ચ ભૂમિકાએથી-આધ્યાત્મિક સ્તરેથી-કરવું રહ્યું. આ બે જુદા સ્તરેથી થતા જીવનદર્શનનાં જ નામ છે ‘મિથ્યાત્વ' અને “સમ્યકત્વ: સમ્યગદર્શન-પ્રસૂત માધુર્ય : આત્મતૃપ્ત જીવન સામાન્યત: માનવી કુટુંબ, પરિવાર, પૈસો, પદ, પ્રતિષ્ઠા, સામાજિક મોભો, બુદ્ધિ, આવડત, શારીરિક સ્વાસ્થ આદિને તેના જીવનનો આધાર માનીને જીવતો હોય છે. વાસ્તવિકતા એ છે કે એ બધું વિનાશશીલ છે, ક્ષણભંગુર છે. કઈ સેકંડે એ બધું ધરાશાયી થઈ જાય એ નિશ્ચિત નથી. દેખીતી રીતે સાવ સ્થિર અને સલામત પાયા ઉપર જેનું જીવન વહ્યું જતું ભાસતું હોય તે પણ રાતોરાત અસહાય સ્થિતિમાં મુકાઈ જાય છે : રાષ્ટ્રપતિ દેશદ્રોહી તરીકે કેદી બને છે; કોટટ્યાધિપતિ નિર્ધન સ્થિતિમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે; મુલ્કમશહૂર પેઢીનો ધંધો ખોરવાઈ જાય છે-કોઈ નવી શોધ થાય, રાજ્યના નિયમનો કે કાયદામાં કોઈ એવું પરિવર્તન આવે કે અર્થતંત્રમાં અણકલ્પી ઊથલપાથલ થાય ને ધંધાની આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે; પ્રેમાળ પરિવાર સાથે પણ કોઇ નજીવા નિમિત્તે આંટી પડી જાય છે અને સૌ સામાં થઈને ઊભાં રહે છે કે દેહને કોરી ખાનાર કોઈ વ્યાધિ અચાનક શરીરમાં દેખા દે છે અને તેને સાવ પરાધીન બનાવી મૂકે છે. આમ, જીવનમાં આપત્તિઓ, મર્યાદાઓ, બાધાઓ, અડચણો અને કષ્ટદાયી સંયોગો તો-પૂર્વબદ્ધ કર્મના ફળસ્વરૂપ– ઊભાં થતાં રહે છે. એ વખતે, એ બધાની અસરથી પર એવા પોતાના અવિકારી શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ જ વ્યક્તિને એ પરિસ્થિતિમાંથી જન્મતી અસુરક્ષિતતાની લાગણી, ચિત્તક્ષોભ, દૈન્યભાવ અને સંભવિત આર્તધ્યાનમાં અટવાતી ઉગારી શકે છે. જયાં સુધી માણસ દેહને, અને દેહથી સંબંધિત પ્રાણી, પદાર્થ કે પરિસ્થિતિને સ્થિર રાખવા મથે છે, ત્યાં સુધી તેમાં આવતું કોઈ પરિવર્તન કે તેવા કોઈ ફેરફારની સંભાવના માત્ર તેને બેચેન બનાવી મૂકશે. પરંતુ પુદ્ગલકૃત સર્વ સંયોગોની-સર્વ ઔદયિક ભાવો, પદાર્થો કે પરિસ્થિતિની– ક્ષણિકતાનું ભાન તેમજ ‘પોતાનાં સુખ-સલામતી-અસ્તિત્વ બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી નિરપેક્ષ છે' એ સમજણ અને વિશ્વાસ જેના ચિત્તમાં અવચેતન મનના સ્તરે–સ્થિર થયાં હશે, તે બાહ્ય જગતમાં થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy