SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આત્મજ્ઞાન અને સાધનાપથ કહ્યાં છે, તે સમ્યક્ત્વ અને સ્વાનુભૂતિ પરસ્પર સંકળાયેલાં છે. ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ સમ્યક્ત્વની પ્રતિષ્ઠા દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ આપતા અનુભવ ઉપર છે; અર્થાત્ ‘આત્મા છે’ એવી માત્ર શ્રદ્ધા કે ‘દેહ અને કર્માદિથી તદ્ન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે' એવી માત્ર બૌદ્ધિક સમજણ નહિ, પણ એ બેની ભિન્નતાની સ્વાનુભૂતિજન્ય પ્રતીતિ ઉપર સમ્યક્ત્વનું મંડાણ છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ વાત કરતાં કહ્યું છે કે ૨. --- ઠરે જિહાં સમકિત તે થાનક, તેહનાં વિધ કહીએ રે; તિહાં પહેલું થાનક ‘છે ચેતન લક્ષણ આતમ’ લહીએ રે. ખીરનીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અલગો રે; અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નિંવ દીસે વલગો રે. (ii) तत्राप्यात्मानुभूतिः सा विशिष्टं ज्ञानमात्मनः । सम्यक्त्वेनाविनाभूतमन्वयाद् व्यतिरेकतः ।। सम्यक्त्वं स्वानुभूतिः स्यात्साचेच्छुद्धनयात्मिका ।। - પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૪૦૨-૪૦૩. (i) વિશુદ્ધ મુખ્યત્વ स्फुरत्यन्तर्ज्योतिर्निरुपधिसमाधौ समुदितम् ॥ विबुधैरालिंगितं हृदि । Jain Education International - ધર્મસંગ્રહ, પૂર્વાર્ધ, ગાથા ૨૨, ટીકા. (ii) સમકિત દ્રાર ગભારે પેસતાં જી, ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડયાં શમ-સંવેગનાં જી, અનુભવ ભવને પેઠો નાથ રે. ખિમાવિજયજી મહારાજ. - (iii) શુદ્ધાતમ દરશન વિના, કર્મ ન છૂટે કોય; તે કારણ શુદ્ધાતમા, દરશન કરો થિર હોય. આતમ અનુભવ તીરસે, મિટે મોહ અંધાર; આપરૂપમેં જલહલે, નહિ તસ અંત ઓ'પાર. અધ્યાત્મબાવની, ગાથા ૧૨-૧૩. ૩. સમકિત સડસઠ બોલની સઝાય, ગાથા ૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy