SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આત્મજ્ઞાન અને સાધનાપથ આ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય તે વ્યક્તિ અસત્ તૃષ્ણાથી સહેજે દૂર રહે ધનસંપત્તિ, ઐશ્વર્ય કે જીવનનિર્વાહ અર્થે આવશ્યક ન હોય એવા વૈભવવિલાસ પાછળની આંધળી દોટ તેમજ, સમાજમાં પ્રતિષ્ઠા/મોભો કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, યશ-કીતિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ આ દૃષ્ટિસ્થિત મહાનુભાવોના અંતરમાંથી ઓસરી ચૂકી હોય છે. આથી, નિરર્થક અશુભ સંકલ્પ-વિકલ્પનાં જાળાંથી તેમનું ચિત્ત બહુધા મુક્ત રહે છે. ચિત્તની અસર કાયા પર પણ થતી હોવાથી એમના શરીરનો ક્ષોભ પુણ ઘટે છે. ફલત: આ દૃષ્ટિમાં સ્થિત મુમુક્ષુ સાધક ક્ષુબ્ધ થયા વિના, લાંબો વખત એક આસને સુખપૂર્વક બેસી શકે છે;'' નકામી દોડધામ અને રઘવાટને એના જીવનમાં અવકાશ નથી રહેતો. ધર્મક્રિયા પણ તે પ્રણિધાનપૂર્વક તેમજ ધીરજ અને સ્થિરતા સાથે કરે છે-શૂન્યમનસ્કપણે કે રઘવાટભેર નહિ. ૧૭ વળી, આ દષ્ટિપ્રાપ્ત મુમુક્ષુને કોઈ કારણસર, તત્ત્વશ્રવણ કે શાસ્ત્રાધ્યયન કરવાની તક ન મળે તોયે, નિષ્પાપ જીવન અને તત્ત્વશ્રવણની તેની તીવ્ર ઝંખનાના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જતાં, શ્રુત વિના પણ, તેના અંતરમાં આપમેળે જ્ઞાનનો ઉઘાડ થાય છે-કોઠાસૂઝ પ્રાપ્ત થાય છે. વળી સાધનામાં કોઈ વિઘ્ન વિક્ષેપ ઉપસ્થિત થતાં તેને દૂર કરવાના ઉપાયો તેમજ આવશ્યક ઉપકરણ આદિ અન્ય અનુકૂળતા પણ આ દૃષ્ટિમાં રહેલ સાધકને પ્રાય: મળી રહે છે. ચોથી યોગદષ્ટિ આની પૂર્વેની દૃષ્ટિમાં શ્રવણ-મનન સાથે યોગાભ્યાસનો-ધારણા-ધ્યાનાદિ અંતરંગ યોગસાધનના અભ્યાસનો-પ્રારંભ થઈ ચૂકયો હોવાના કારણે અશુભ સંકલ્પ-વિકલ્પની આર્ટ-રૌદ્રધ્યાનની પકડ આ ભૂમિકાએ રહેલ સાધકના ચિત્ત પરથી ઘટી હોય છે અને તેનો ‘અહં’ પણ મોળો પડયો હોય છે. વળી, આ ભૂમિકામાં તેને તત્ત્વશ્રવણ પણ મળે છે. આથી, અહીં તેને તત્ત્વદર્શનની ઉત્કટ અભીપ્સા રહે છે, અન્ય કોઈ પ્રાપ્તિ એને સંતોષ આપી શકતી નથી. આયુષ્યની સમાપ્તિ સાથે જેનો અંત આવી જતો હોય એવી સર્વ પ્રાપ્તિઓ ધનદોલત, પદ, પ્રતિષ્ઠા, નામના આદિ તેમજ યોગસાધનામાં વચ્ચે આવી મળતી અતીન્દ્રિય શક્તિઓ અને સિદ્ધિઓ સુધ્ધાં – પ્રત્યે એને આકર્ષણ રહેતું નથી. એ બધાં ૧૬. યોગદૃષ્ટિ સમુચ્ચય, શ્લોક ૫૦. ૧૭. એજન, શ્લોક ૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy