SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૯ રહેલ આત્મા આગમપ્રધાન હોય છે–અર્થાત્ મુક્તિના ઉપાયોના જ્ઞાન માટે તે શાસ્ત્ર અને ‘ગુરુ' પ્રત્યે મીટ માંડે છે; જ્યારે બીજી યોગદષ્ટિમાં આવેલો આત્મા તર્કપ્રધાન હોય છે–તત્ત્વનું અર્થાત્ બંધ અને મોક્ષના રહસ્યનું જ્ઞાન મેળવવા તે મથે છે તથા, ‘જ્ઞાન’ અને ‘ક્રિયાનું હાર્દ પામવા તે ઊંડું મંથન કરે છે. * ઉપદેશ સાંભળીને કે શાસ્ત્રો વાંચીને તે બેસી નથી રહેતો પણ તેના હાર્દ સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે–તત્ત્વગષણા કરે છે–સત્ય પામવા તે જાતે વ્યાપક ખોજ આદરે છે. અહીં એને શબ્દની / શાસ્ત્રની અને બુદ્ધિની તર્કની મર્યાદા સમજાઈ જાય છે. આથી, શાસ્ત્રજ્ઞાન વધવા છતાં તે વિનમ્ર બને છે અને પોતાના જ્ઞાનનું કે બુદ્ધિનું જરાયે ગુમાન ન રાખતાં, સાધનામાર્ગે આત્મજ્ઞ સંતોના માર્ગદર્શનને તે સ્વીકાર્ય અને આદેય ગણે છે. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.” એ સમજ એના અંતરમાં પ્રગટી ચૂકી હોય છે. મોક્ષમાર્ગનું હાર્દ માત્ર શ્રવણ-વાચન-શાસ્ત્રાધ્યયન વડે નહિ પણ આંતરવિશુદ્ધિ અને સાધના વડે જ પ્રાપ્ય છે એ તથ્ય આ ભૂમિકાસ્થિત મુમુક્ષુના અંતરે વસી ગયું હોવાથી, ધાનાદિ અંતરંગ યોગસાધના–જે આચાર્યાદિની પ્રમુખ સાધના મનાઇ છે–વિશે તેને અનહદ જિજ્ઞાસા રહે છે;" સાથોસાથ, તેની પોતાની ધર્મપ્રવૃત્તિમાં રહેતી ન્યૂનતાને ખલના તેને ખૂબ ખટકે છે. આમ છતાં, યમ-નિયમપૂર્વક પવિત્ર જીવન જીવવા માટે પોતે યથાશક્તિ યત્નશીલ રહ્યો હોવાથી, પોતાનું ભાવિ કલ્યાણપ્રદ જ હોવાનો વિશ્વાસ એને રહે છે; ફલત: ભવનો વધુ પડતો ભય/ ફફડાટ તેને રહેતો નથી." વળી, તે પોતાની ભૂમિકાનું તટસ્થ રહી મૂલ્યાંકન કરે છે અને પોતામાં ન હોય એ ગુણ હોવાનો ખોટો ડોળ કરતો નથી. – ત્રીજી યોગદષ્ટિ તત્ત્વ શું છે તે સમજવાની અદમ્ય તૃષા, ધર્મપ્રવૃત્તિ ઝટઝટ પતાવી દેવાની મનોવૃત્તિનો અભાવ અને, અસત્ તૃષ્ણાની નિવૃત્તિના કારણે આસનની સ્થિરતા – આ છે ત્રીજી દૃષ્ટિમાં રહેલ મહાનુભાવોની ઓળખ આપતાં પ્રમુખ સદ્ગણો. ૧૨. દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા, દ્વા. ૧૪, શ્લોક ૯, ૧૩. ૧૩. યોગદષ્ટિ, શ્લોક ૪૮. ૧૪. એજન, શ્લોક ૪૬. ૧૫. એજન, શ્લોક ૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy