SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ ૮૫ ગુણસ્થાનનો પ્રથમ સ્પર્શ ઉપરના ગુણસ્થાનકેથી નીચે ગબડતો આત્મા જ કરે છે અને તે પણ ક્ષણવાર માટે જ. અનુભવપૂર્વેના, દીર્ઘ કાળ સુધી ચાલતા રહેતા આત્મવિકાસને આગમિક શૈલી એક જ ગુણસ્થાનમાં આવરી લેતી હોવાથી, પ્રથમ ગુણસ્થાનકે રહેલ મુમુક્ષને પોતાના મોહની તરતમતા ઓળખવા માટે કોઈ નિશ્ચિત માપદંડ ગુણસ્થાનની શૈલીએ થયેલાં વિધાનોમાંથી સાંપડતો નથી. કિંતુ, આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય' નામના તેમના ગ્રંથમાં, આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓને ‘યોગદષ્ટિ'ના નામે એક નવી પરિભાષા આપી છે. પ્રથમ ગુણસ્થાનકમાં સમાવિષ્ટ આત્મવિકાસને તે ચાર યોગદષ્ટિમાં વહેંચી નાખે છે; આથી, અંતર્મુખ મુમુક્ષુને પોતાના મોહની તરતમતા સમજવા માટેના સ્પષ્ટ સંકેતો ‘યોગદષ્ટિ'ની શૈલીએ થયેલ વિવેચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીં પ્રાસંગિક, પહેલી ચાર યોગદષ્ટિઓના સીમાચિહ્ન જેવા થોડાક અંશોની વાત કરવી ઉચિત છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આત્મવિકાસની સમગ્ર યાત્રાને આઠ યોગદષ્ટિમાં આવરી લીધી છે, જેમાંની પ્રથમ ચાર યોગદષ્ટિ સમ્યગદર્શન પુર્વેની દશા નિરૂપ છે અને બાકીની ચાર સમકિતની પ્રાપ્તિથી માંડીને મુક્તિ પર્યંતની યાત્રાને આવરી લે છે. જીવ યોગદષ્ટિ પામે તે પૂર્વેની અવસ્થાને એમણે ‘ઓઘ દષ્ટિ તરીકે ઓળખાવી છે. ઓઘદૃષ્ટિમાં રહેલ વ્યક્તિ પણ અનેકવિધ ધર્મપ્રવૃત્તિ કરતી-કારવતી હોય એવું બને, પણ તેનું અંતર તો સદા સંસાર તરફ જ ઢળેલું રહેતું હોય છે; આથી, તે સાચા ધર્મથી વિમુખ જ રહે છે. – પહેલી યોગદષ્ટિ ઘદષ્ટિ વટાવી, આત્મા પ્રથમ યોગદષ્ટિમાં આવે છે ત્યારે તેનું વલણ કેવળ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ બને છે. ભવનો ઉગ એનામાં જાગી ચૂક્યો હોય છે-“ મોક્ષ સહન ” એના અંતરમાં ભવની નિ:સારતા વસેલી જ હોય-એને સંસારની અસારતા ઠસાવવા માટે ઉપદેશકે ઉપદેશની ઝડીઓ વરસાવવી પડતી નથી. રોજિંદા જીવનની કોઈ નાની-મોટી ઘટના કે જીવનની કોઈ વિષમતાના દર્શનથી / અનુભવથી, કે કોઈ જ્ઞાની પુરુષનાં બે વેણ સાંભળીને એ જાગી જાય છે–ભૌતિક જીવનની ઘટમાળની પોકળતા અને નિ:સારતા એના ચિત્તમાં વસી જાય છે, ને ‘જીવનની સાર્થકતા શામાં?' એ પ્રશ્ન એના અંતરમાં ૩. યોગદષ્ટિ, શ્લોક ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy