SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૮૧ પરંપરાથી ઉત્પન્ન થયેલ દૃઢ જ્ઞાન-સંસ્કારોના બળથી થાય છે. માટે યોગીએ પુન: પુન: વિવેકસાક્ષાત્કારમાં મચી રહેવું જોઈએ અને તે દરમ્યાન પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં લોભાઈ ન જતાં તેની ઉપેક્ષા કરવી. તો વ્યુત્થાન સંસ્કારો નષ્ટ થઈ વિવેકસાક્ષાત્કાર નિરંતર બન્યો રહે છે. એ સ્થિતિને જ યોગીઓ ધર્મમેઘ સમાધિ કહે છે. ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થતાં યોગીના સર્વ ક્લેશકર્મ નિવૃત્ત થાય છે અને તે ખરેખર જીવન્મુક્ત બને છે. જૈન દર્શનની પરિભાષા સ્વાનુભવની ઉપલબ્ધિને ‘અનુભવ’, ‘આત્મજ્ઞાન’ કે ‘સમ્યગ્દર્શન’ના નામે અને તેની પ્રાપ્તિ કરનારને ‘સમકિતી’ કે ‘સમ્યગ્દષ્ટ’ તરીકે ઓળખાવે છે. એ ઉપલબ્ધિ પછી દેશિવરિત કે સર્વવિરતિના માર્ગે સાધના કરતો રહી, અપ્રમત્ત સંયતની ભૂમિકાએ પહોંચીને સાધક ક્ષાયિક માર્ગે આગળ વધે તો, એ જ જીવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અર્હત્ બને છે-જીવન્મુક્ત બને છે; એ પછી એને નવો દેહ ધારણ કરવો નથી પડતો. એટલી ઉત્કટ સાધના ન કરી શકે પણ અખંડપણે સાધનામાં યથાશક્તિ તે મચ્યો રહે તો, સામાન્યત:, સાત-આઠ ભવે તે મુક્ત થઈ જાય છે. બૌદ્ધ પરંપરામાં પણ પ્રથમવારના અપરોક્ષાનુભવને મુક્તિપથની અંતિમ મંજિલ માની નથી. પ્રથમવારની નિર્વાણિક ડૂબકી બૌદ્ધપરિભાષામાં ‘સોતાપત્તિ’ તરીકે ઓળખાય છે, મુક્તિયાત્રાનો એ પ્રથમ પડાવ છે. એના પછીયે અપ્રમત્તભાવે સાધના કરતો રહી, સાધક, ‘સકદાગામી' અને ‘અનાગામી’નો બીજો અને ત્રીજો પડાવ વટાવી, ચોથા પડાવે પહોંચેઅર્હત્ બને-ત્યારે જ એ જીવન્મુક્ત થયો ગણાય છે. પ્રથમ પડાવે પહોંચેલ સાધકને બૌદ્ધ પરિભાષા ‘સોતાપત્ન’ (સ્રોતાપન્ન) તરીકે ઓળખે છે. મુક્તિના સ્રોતમાં એ આવી પહોંચ્યો છે; હવે એ તે જ જન્મમાં કે વધુમાં વધુ સાત ભવે અર્હત્ની ભૂમિકાએ પહોંચી મુક્ત થઈ જવાનો. ટૂંકમાં, કોઈ પણ આધ્યાત્મિક પરંપરા સ્વાનુભૂતિની પ્રથમવારની ઉપલબ્ધિને આત્મસાધનાનું અંતિમ ચરણ નથી ગણતી. છતાં, પ્રથમવારના *જૈન સાધના-પ્રણાલી મુક્તિયાત્રાના સમગ્ર પથને ચૌદ વિકાસભૂમિકાઓ (ગુણસ્થાન)માં વિભાજિત કરે છે. તેના સંક્ષિપ્ત પરિચય અર્થે જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy