SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ આત્મજ્ઞાન અને સાધનાપથ છે, તે પદાર્થ-નિષ્ઠ (objective) નથી હોતો. અર્થાત્ બહાર જે છે તે તેવું આપણે અનુભવીએ છીએ એવું નથી, પણ આપણી ઇન્દ્રિયો આપણને જે જણાવે અને આપણું ચિત્ત તેનું જે અર્થઘટન કરે તે આપણે અનુભવીએ છીએ, એટલે કે દરેકનું જગત ભિન્ન ભિન્ન રહે છે. દા. ત., પતિ-પત્ની સાથે બજારમાંથી પસાર થતાં હોય ત્યારે બંગડીની દુકાન પાસેથી નીકળતાં, એ દુકાન પર કેવા કેવા પ્રકારની બંગડીઓ વેચાણમાં મુકાયેલી છે એની નોંધ પત્નીનું મગજ લઈ લેશે, જ્યારે પતિ બંગડીઓ વિશે બહુધા સાવ બેખબર રહ્યો હશે. એ જ પ્રમાણે, રસ્તા પર થયેલ વાહન-અકસ્માતનું દશ્ય જોતાં, ત્યાંથી પસાર થઈ રહેલ પોલીસ અમલદારને સૌપ્રથમ એ વિચાર આવશે કે એમાં ગુનો કોનો છે? જ્યારે ત્યાંથી પસાર થતા વકીલના મનમાં એ વિચાર ઝબકી જશે કે આમાં સંડોવાયેલ પાર્ટીને વળતર મળી શકે કે કેમ? અથવા સામા પક્ષનો બચાવ કયા મુદ્દાને આધારે થઈ શકે? તો, અકસ્માતમાં કારમાંથી ફંગોળાઈને રસ્તા પર પડેલ મૃત તણીના ભરાવદાર સાથળ કે ઉન્નત ઉરપ્રદેશ જોઈ કામી વ્યક્તિને કામનો વિચાર આવશે, ને અકસ્માતના સ્થળે જમા થયેલ ટોળામાં કોઈ ગઠિયો ઊભેલો હશે તો એનું ધ્યાન એ તરુણીના અંગ પરના દાગીના પર કેન્દ્રિત થશે. ત્યાંથી પસાર થતા સાધુપુરુષને અકસ્માતના એ દશ્યમાં જીવનની ક્ષણભંગુરતા તાદશ થયેલી દેખાશે. આમ, જુદી જુદી વ્યક્તિઓ એકના એક દશ્યના નિરનિરાળા અંશોની માહિતી ગ્રહણ કરે છે અને તે રીતે એનું ભિન્ન ભિન્ન મૂલ્યાંકન કરે છે. દરેકનું જગત તેની ઇન્દ્રિયોની અને બુદ્ધિની ગુણવત્તા, ક્ષમતા અને કેળવણી પર તેમજ તેના માનસિક વલણ – તેના ગમા-અણગમા, કામનાઓ | ઇચ્છાઓ અપેક્ષાઓ, આસક્તિઓ, પૂર્વગ્રહો–પર નિર્ભર કરે છે. અબુધ આદિવાસી ભીલ કે એના જેવી તામસી પ્રકૃતિના માનવીને મન તેની કાયા એ જ પોતે છે. કાયા સાથે એ પોતાનું તાદામ્ય અનુભવે છે, અને એ માન્યતાના આધારે એનો સમગ્ર જીવન-વ્યવહાર આકાર લે છે. ભૌતિક શરીરની જરૂરિયાતો – આહાર, ઊંઘ(આરામ, આનંદ-પ્રમોદ અને કામભોગની પૂર્ણત અને તે માટેનાં સાધનોની પ્રાપ્તિ એ જ એના સમગ્ર જીવનનું કેન્દ્ર રહે છે. કોઈ સુસંસ્કારી બુદ્ધિજીવી વ્યક્તિ પોતાની માનસિક શક્તિઓ અને તેના ઉઘાડ સાથે તાદાત્મ અનુભવે છે અને તે મુજબ તેનું જીવન ઘડે / વિતાવે છે. તો કોઈ પોતાનાં પદ-પ્રતિષ્ઠા સાથે તાદામ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy