SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ એક-એક પાપસ્થાનક પ્રવૃત્તિ, યોગ, કરણ અને ! ૩. આરંભ = પ્રવૃત્તિની શરૂઆત કરવી તે) કષાય થી ગુણવાથી ૧૯૪૪ થાય છે. ૩પ્રકારનો યોગ = મન, વચન અને કાયા, ૩ પ્રકારની પ્રવૃત્તિઃ ૩પ્રકારના કરણ = કરણ-કરાવણ અને અનુમોદના ૧. સંરંભ = પાપ પ્રવત્તિના આચરણની ઈચ્છા ૪ પ્રકારનો કષાય = ક્રોધ, માન, માયા અને લોભ, થવી તે આ પ્રમાણે = ૩x ૩x ૩x૪ = ૧૦૮ થાય. ૨. સમારંભ = જે ઈચ્છા થઈ તેને પૂર્ણ કરવાની ૧૮ પાપ સ્થાનક ૧૦૮ થી ગુણવાથી ૧૯૪૪ની સંખ્યા પ્રાપ્ત તૈયારી કરવી તે) થાય છે. નોંધ : છેલ્લા ઘણા વર્ષોથી આ સુત્ર બોલતી વખતે બોલનાર ભાગ્યશાળી ‘૧૪ લાખ મનુષ્ય’ સુધી પહોંચે ત્યારે ઉપસ્થિત સર્વે આરાધકો આગળનું વાક્ય એક સાથે બોલતાં હોય છે, જે યોગ્ય નથી. કેમકે એક સાથે બોલનારાઓમાં શબ્દ-ઉચ્ચારની રીત અલગ-અલગ હોવાથી બહુ સ્પષ્ટ શબ્દો સંભળાવાની શક્યતા ઓછી રહેતી હોય અને આ સૂત્ર ને કંઠસ્થ નહિ કરનાર આરાધકોને તે અસ્પષ્ટ શબ્દ ઉચ્ચારના કારણે એટલું ધારવાનું અધુરુ રહી જવાની શક્યતા રહે. તેથી આદેશ લેનાર ભાગ્યશાળીએ જ પૂર્ણ સૂત્ર બોલવાનો આગ્રહ રાખવો અને છેલ્લે “મિચ્છા મિ દુક્કડં' સાથે સહુ કોઈએ બોલવા ઉપયોગ રાખવો. આ મુજબ અઢાર પાપ સ્થાનકમાં, સામાયિક પારવાના સૂત્રમાં, અતિચાર બોલાય ત્યારે દરેક અતિચારની સમાપ્તિ વેળાએ અને પૌષધવ્રત પારતી વખતે આ કાળજી રાખવી હિતકર જણાય છે. સાત લાખ, અઢાર પાપસ્થાનક, સામાઈય-વય-જુરો, અતિચાર (ગુજરાતીમાં), સાગરચંદો કામો (--પૌષધ પારવાનો સૂત્ર) માં અને ‘મને- વચન-કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં' બોલવું, તે અતિશય અશુદ્ધ પાઠ છે. પણ તેમાં નિયમા મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ' બોલવું, તે અણિશુદ્ધ પાઠ છે, તેનો ખ્યાલ રાખવો. સર્વ જીવોને આશ્રયી ઉત્પન્ન થવાના સ્થાનો અસંખ્ય છે, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃત્તિથી જે ઉત્પત્તિ સ્થાનો સમાન હોય છે, તેટલાનું એક સ્થાન ગણાય છે. એથી કુલ ઉત્પત્તિરથાનો ૮૪ લાખ છે. દાત. પૃથ્વીકાય ના મૂળ ભેદ= ૩૫૦ x ૫ વર્ણ (= લાલ, પીળો, લીલો, કાળો અને સફેદ) x ૨ રંગ (- સુગંધ અને દુર્ગધ) x ૫ રસ (-તીખો, કડવો, ખાટો, મધુર અને ખારો (=કષાય) x૮ સ્પર્શ (= સ્નિગ્ધ, રુક્ષ, ઉષ્ણ, શીત, કર્કશ, લીસો, કઠણ અને નરમ) x ૫ આકૃતિક સંસ્થાન (= વૃત્ત, પરિમંડલ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ)= ૭,૦૦,૦૦૦ (સાત લાખ) થાય છે. તે મુજબ દરેક જીવોના મૂળભેદ સાથે ૨૦૦૦ (૫x ૨ x ૫ x ૮ x ૫) ને ગુણવાથી તે તે સંખ્યાની પ્રાપ્તિ થાય છે, જે નીચે મુજબ જાણશો. * ૮૪,૦૦,૦૦૦ યોનિઓ * પૃથ્વીકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= અપકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= તેઉકાય જીવોના મૂળ ભેદ ૩૫૦X૨,૦૦૦= વાઉકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= પ્રત્યેક વનસ્પતિકાય જીવોના મૂળ ભેદો ૫૦૦ x ૨,૦૦૦= સાધારણ વનસ્પતિકાય જીવોના મૂળ ભેદો ૭૦૦ x ૨,૦૦૦= બેઈન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= તેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= ચઉરિન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= દેવતાના જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= નારકીના જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= તિર્યંચ પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= મનુષ્ય જીવોના મૂળ ભેદો ૭૦૦ x ૨,૦૦૦= જીવના મૂળ ભેદો અંગેનો પાઠ(પ્રાપ્ય) લભ્ય નથી દરેક જીવોનો ગુણસ્થાનક ક્રમા ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૨ ગુણસ્થાનક સુધી ૭,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦ ૧૪,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ + ૨ ગુણસ્થાનક સુધી ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ ૪ ગુણસ્થાનક સુધી ૪,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ - ૫ ગુણસ્થાનક સુધી ૧૪,૦૦,૦૦૦ - ૧૪ ગુણસ્થાનકે સુધી ૮૪,૦૦,૦૦૦ જીવયોનિ nelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy