SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ > ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ સ્વરુપ દિશીત્યાગ ત્રિક: પ્રભુજીની સન્મુખ સિવાય પોતાની પાછળ, જમણી અને ડાબી તરફની ત્રણે દિશાને જોવાનું ત્યાગ કરવું તે. G, પ્રમાર્જના શિક : પ્રભુજીની ભાવપૂજા સ્વરુપ ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં ભૂમિનું ત્રણ વખત પ્રમાર્જન કરવું તે. ૮. આલંબન-ત્રિક : (૧) સૂત્ર(વર્ણ) આલંબના : અક્ષરો પદ-સંપદા વ્યવસ્થિત બોલવાં તે. (૨) અર્થ-આલંબના : સૂત્રોના અર્થ &યમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. ૯. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ત્રિક : (૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઇ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિવંદન-પ્રણિધાન I : “જાવંત કેવિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુપ્રાર્થના - પ્રણિધાન : “જય વીયરાય’ સૂત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. • નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે. સ્નાન ક્રવાની વિધિ સુગંધિત તેલ અને આમળા પ્રમુખ ચૂર્ણ આદિને ભેગું કરીને વિધિપૂર્વક તૈલમર્દન (માલીસ) આદિ પ્રક્રિયા કરીને સ્વસ્થ બનવું. પછી પૂર્વદિશા સન્મુખ બેસીને પોતાની નીચે પીત્તળ આદિની કથરોટ (થાળો) રાખીને બન્ને હથેળીને ખોબાની જેમ રાખી સ્નાન મંત્ર બોલવો કે ૐ અમલે વિમલે સર્વતીર્થજલે પ પ વૉ વૉ અશુચિઃ શુચીર્ભવામિ સ્વાહા...' ખોબામાં સર્વતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફકત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું. સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે). નાન વિધિ પૂજાનાં ધૂડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની • દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો ! મુખકોશ બંધાય, તેવો રાખવો. સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. વૈભવ અનુસાર દશેય આંગળીઓ મુદ્રિકા (વીંટી)થી • ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ! અલંકૃત કરવી. તેમાં અનામિકા તો કરવી જ. ભાગ્યશાળી પાસે શિખી લેવું. વીરવલય-બાજુબંધ-નવશેર સોનાનો હાર, મુગટ આદિ ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અલંકારો પહેરવાં. અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું. સ્ત્રીઓએ પણ સોળે શણગાર સજીને રુમાલ સહિત ચાર ધોતીયા ઉપર સુવર્ણ – ચાંદી કે પીત્તળ-વ્યાબાંનો નકશી. વસ્ત્ર પહેરીને પ્રભુ પાસે આવવું. કામવાળો કંદોરો અવશ્ય પહેરવો. સ્ત્રીઓએ સુયોગ્ય આર્ય મર્યાદાને શોભે, તેવા વસ્ત્રો ખેસના બન્ને છેડામાં પ્રમાર્જનામાં ઉપયોગી રેશમી દોરાની પહેરવાં. મસ્તક હંમેશાં ઢાંકેલું રાખવું. દશીઓ જરુર રાખવી. • સ્ત્રીઓએ પૂજાનો રુમાલ નાનો રાખવાના બદલે સ્કાર્ફ ખેસ પહેરતી વખતે જમણો ખભો ખુલ્લો રાખવો પણ. જેવડો મોટો ચોરસ રૂમાલ રાખવો. બહેનોની જેમ બન્ને ખભા ન ઢાંકવા. • પુરુષોએ પૂજામાં સિલાઈ વગરનાં-અખંડ-અતિસ્વચ્છ – • ખેસ લંબાઈ- પહોળાઈમાં સુયોગ્ય મોટો અને અષ્ટપડ ! નિર્મળ બે જ વસ્ત્ર વાપરવાં. Jana v olgonal Due Only ja nelibra
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy